લોકડાઉન બાદ અમદાવાદમાં લૂંટના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે અને અમદાવાદના અનેક વિસ્તારોમાં લૂંટારુઓ લૂંટ ચલાવી રહયા છે. તેવામાં અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં લૂંટનો બનાવ બનેલ છે.

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ડો.અનુરાગ સનચાલીત ગીતા કલીનીક અને આર.કે.મેડિકલ સ્ટોરમાં આજ રોજ વહેલી સવારે લૂંટારુઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવી છે. લૂંટારુઓ દ્વારા મેડીકલ અને દવાખાનાનું સ્ટલ તોળી અંદાજીત રૂપિયા ૨૧૦૦૦ ની લૂંટ ચલાવી હતી.

નિસર્ગ મેડિકલ માથી ૧૨૫૦૦૦ રોકડ રકમ ચોરાઈ ગયેલ છે સવારના ૬.વાગ્યા ના સમય માં ઇકો ગાડીમાં ૩:જન આવીને ચોરી કરી ગયેલ સે નરોડા માં એકજ દિવસ માં ૩ લૂંટના બનાવ બન્યા છે. આ અંગે નરોડા પોલીસે સી.સી.ટી.વી. ફુટેજના આધારે ચક્રોગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે.
