March 25, 2026
ગુજરાતઅપરાધ

આઇશાના પરિવાર દ્વારા પત્રકાર પરિષદમાં ચોકાવનાર કિસ્સા લાવ્યા સામે

અમદાવાદના રીલીફ રોડ ખાતે આઈશાના પરિવારે પ્રેસ કોન્ફ્રન્સમાં  ચોંકાવનારા કિસ્સાઓ સામે લાવ્યા  છે. જેમાં તેના પિતાએ આરીફ અને તેના પરિવાર પર આઈશાને માર મારવાનો આરોપ લગાડ્યો છે. તેના પિતાએ જણાવ્યું છે કે, આઈશા જયારે ગર્ભવતી હતી ત્યારે તેના સસરા અને તેના પતિએ તેને માર મર્યો હતો જેથી તેની પ્રેગનેન્સી મિસ થઈ હતી. ત્યારે તેઓ આઈશાને અમદાવાદ મુકી ગયા હતા. ત્યાર બાદ થોડાક દિવસો બાદ તેઓએ ફોન પર પાંચ લાખ રુપિયાની માંગણી કરી હતી જેથી હમારા પાસે આટલા પૈસા ન હોવાથી દોઢ લાખ રુપિયા આપ્યા હતા

જો કે, આરીફ અને આઈશાના લગ્નના બે મહિના બાદ આરીફના ફોનમાં અન્ય કોઈ વ્યકિત સાથે સંબધ હોવાની વાત તેને ખબર પડી હતી,જેથી તે તેની સાસુને આ વાતની જાણ કરવા માટે ગઈ હતી. તેની સાસુએ પોતાના દિકરાને સમજાવવાને બદલે આઈશાને જ ધમકાવવા લાગી હતી અને પાછી ઘરે મોકલી દીધી હતી. ઘરે આવ્યા બાદ ફરી એકવાર તેઓએ પૈસાની માંગણી કરી હતી. જો કે, આઈશાના પિતા પાસે પૈસાની સગવડ ન હોવાથી તેઓને પૈસા આપી શક્યા ન હતા.

આઇશાના પિતાએ સરકાર પાસે માંગ કરી છે કે, ખાસ સમિતીની રચના કરવામાં આવે જે આ મુદ્દે યોગ્ય રીતે તપાસ થાય. આ મુદ્દે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી કાર્યવાહી કરવામાં આવે. જેથી ઝડપથી ચુકાદો આવી શકે. સરકાર દ્વારા ખાસ કરીને ગૃહ વિભાગ દ્વારા ખાસ કોઇ વ્યવસ્થા કરવામાં આવે જેથી ફરી કોઇ આઇશાને આવી સ્થિતીનો સામનો કરવો ન પડે.

Related posts

કુતીયાણા વિસ્તારમાંથી ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી.

Ahmedabad Samay

દેશભરમાં ૨૪૪ સ્‍થળોએ મોક ડ્રીલની જાહેરાત કરી,આ મોક ડ્રીલ ૭ મેના રોજ દેશભરમાં ૨૪૪ સ્‍થળોએ યોજાશે, ગુજરાતમાં પણ યોજાશે મોક ડ્રિલ

Ahmedabad Samay

રાજધાની દિલ્હીમાં સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ નજીક એક ઈકો વાનમાં થયેલા જોરદાર ધમાકો

Ahmedabad Samay

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ધર્મ પરિવર્તન ન કરવા પર નિધિ ગુપ્તાની હત્‍યા કરવામાં આવી.

Ahmedabad Samay

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત નિકોલ ખાતે રામકથા ના સ્થાન પર વડાપ્રધાનનો ૧૦૦મો મનકી બાતનો કાર્યક્રમ નિહાળ્યો

Ahmedabad Samay

ધર્માંતરણ અને હવાલા કાંડમાં બે આરોપીની પૂછપરછ વડોદરાનામાં સલાઉદ્દીન શેખનું જમ્મુ કાશ્મીર કનેક્શન ખુલ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો