ગાજિયાબાદ જિલ્લાના ઈન્દિરાપુરમમાં ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા કોરોનાના દર્દી માટે ઓક્સિજન લંગર ચલાવી રહ્યા છે. ગુરુદ્વારાના વ્યવસ્થાપક ગુરુપ્રીત સિંહ રમ્મીએ જણાવ્યુ કે અમે રસ્તા પર ગાડીઓમાં મોબાઈલ ઓક્સિજનની સુવિધા આપી રહ્યા છીએ.
ગુરુદ્વારાના વ્યવસ્થાપકે કહ્યું કે મારી ગાજિયાબાદની ડીએમ અને વી.કે. સિહને અપીલ છે કે તમે અમને બેકઅપ માટે 20-25 ઓક્સિજન સિલેન્ડર ઉપલબ્ધ કરાવો, 25 સિલેન્ડરમાંથી અમે 1000 લોકોની જિંદગી બચાવશુ.
