
રાજ્યમાં કોરોના બેફામ બન્યો છે તેવામાં સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સમાં ૭ થી ૮ કલાકો સુધી રાહજોતા હોય છે તેવામાં સમય ખરેખર ખુબજ આકરો સમય હોય છે તેવામાં ભૂખ્યા તરસ્યા ખાલી પેટ કલાકો મોટી મોટી લાઈનમાં ઉભું રહેવું પડતું હોય છે દર્દીના સગા તો ઉભા રહે જ છે તેમના સાથે સાથે એમ્બ્યુલન્સના કર્મચારીઓ પણ ખરા તડકામાં રાત દિવસ મેહનત કરતા હોય છે

તેવા સમયે તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટની યુવા ટીમ દ્વારા સવારના સમયે દર્દીના સગા અને એમ્બ્યુલન્સના કર્મચારીઓને ચા નાસ્તો અને જમવાના સમયે સ્વાદિષ્ટ જમવાનું પીરસવામાં આવે છે જેથી કર્મચારી અને દર્દીના સગાને રાહત મળે છે તેમને જમવા માટે કે પાણી, ચા નાસ્તા માટે ક્યાંય જવું નથી પડતું
