March 23, 2026
ગુજરાતદેશ

સરકાર, પ્રશાસન અને જનતા તમામ કોવિડની પ્રથમ લહેર બાદ લાપરવાહ થઈ ગયા હતા: મોહન ભાગવત

પોઝિટિવિટી અનલિમિટેડ કાર્યક્રમને સંબોધિત કરતા મોહન ભાગવતે જણાવ્યું કે આ કસોટીનો સમય છે અને આપણે બધાએ ધીરજ જાળવી રાખવી પડશે. હાલની પરિસ્થિતિમાં તર્કહિન નિવેદન ન આપવું જોઈએ. આપણે એકજૂટ રહેવું પડશે અને એક ટીમની જેમ કામ કરવું પડશે.આપણે આજની પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ કારણ કે સરકાર, પ્રશાસન અને જનતા તમામ કોવિડની પ્રથમ લહેર બાદ લાપરવાહ થઈ ગયા હતા. હવે ત્રીજી લહેરની વાત થઈ રહી છે પરંતુ આપણે ડરવાની નહીં પરંતુ પોતાની જાતને તૈયાર રાખવાની જરુર છે.

કોરોના મહામારી માનવતાની સામે મોટો પડકાર છે અને ભારતે દાખલો બેસાડવાનો છે. આપણે દોષો કાઢવાને બદલે એક ટીમ તરીકે કાર્ય કરવું જોઈએ. ટીકા ટીપ્પણીઓ તો આપણે પછીથી પણ કરી શકીશું.

મોહન ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે હું બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલનું એક વિધાન હમેંશા કહું છું. ચર્ચિલ કહેતા કે મારી ઓફિસમાં નિરાશાવાદને કોઈ સ્થાન નથી. અમે પરાજયની સંભાવના માટે  જરા પણ ઈચ્છુક નથી. પરાજય તો અસ્તિત્વમાં જ નથી. ભારતે પણ આવી જ રીતે મહામારી પર સંપૂર્ણ વિજય મેળવવાનો છે.

 

૧૬ મેં ના રોજ સંઘ દ્વારા  શહેરના અનેક વિસ્તારમાં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકોને અપીલ કરાઈ છે કે વેકસીન લીધા પહેલા લોકોએ રક્તદાન અવશ્ય કરાવવું જોઈએ

https://youtube.com/c/AhmedabadSamay

Related posts

અમદાવાદ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2021 માં કોલોરેકસ સ્કૂલના વિદ્યાર્થીઓએ મોનિકા જવાદેના કોચિંગ હેઠળ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વ બાદ સ્માર્ટ પાર્કિંગની સુવિધા શરૂ કરવામાં આવશે

Ahmedabad Samay

કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતની કારનું ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો

Ahmedabad Samay

યુ.પી.માં ઓવૈસીએ “સીએએ” અને એનઆરસી ને લઈને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું

Ahmedabad Samay

કરાઓકે દ્વારા ઓપન ગુજરાત કરાઓકે સુપરસ્ટાર સ્પર્ધા યોજી

Ahmedabad Samay

આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નિવાસસ્થાને યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્ર સરકારે પાકિસ્તાન સામે આકરા પગલાં લીધા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો