અમદાવાદ ના ખોખરા મોહન એસ્ટેટ ની ઘટના,ગારમેન્ટ કંપની ના ત્રીજા માળે ધાબા પર ની પાણી ની પ્લાસ્ટિક ની ટાંકી મા યુવતી ની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

લાશ મળતા હત્યા કરાયા હોવા ની આશંકા એ ખોખરા પોલિસ ઈન્સપેકટર વાય એસ ગામિત ની સાથે નો પોલિસ કાફલો ઘટના પર પહોંચી ગયા હતા.
મૃતદેહ બહાર કાઢવા માટે ફાયર ના જવાનો ની મદદ લેવાઈ હતી, ફાયર વિભાગ ના જવાનો એ યુવતી ની લાશ ને ઝાડ કાપવા ના કંટ્રોલ મશીન વડે ટાંકી ને કાપી ને અસહ્ય દુગઁધ મારતી લાશ ને ખુલ્લી કરી હતી.
યુવતી ની ઓળખ હજુ બાકી હોઈ ને ગારમેન્ટ મા કામ કરતા લોકોના પુછપરછ કરવામાં આવી રહી છે અને આ બનાવ પોલીસ દ્વારા ત્રણેક દિવસ પહેલા નો બનાવ હોવા નું અનુમાન લગાવી અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
