March 25, 2026
ગુજરાત

“ટુંક સમયમાં ધોરણ ૬થી ૮ અને પછી ૧ થી ૭ના વર્ગો શરૂ થઈ શકે છે

રાજય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કોરોનાના કેસો નિયંત્રણમાં રહેશે અને ત્રીજી લહેરની સ્થિતિ નહીં સર્જાય તો સરકાર પ્રાઈમરી અને સેકન્ડરી શાળાઓનો ઓફલાઈન અભ્યાસ ઓગષ્ટથી શરુ કરવાનો વિચાર ધરાવે છે.

આ શકયતાઓ વિષે રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, અમે આગામી થોડા દિવસોમાં ધોરણ છથી આઠના વર્ગો શરુ કરવાનો વિચાર કરી રહ્યા છીએ. જો કોરોનાના કેસમાં વધારો નહીં નોંધાય તો ધોરણ એકથી પાંચના વર્ગો પણ ઓગષ્ટના અંત સુધી શરુ કરી દેવામાં આવશે. અમે દૈનિક આંકડાઓને ધ્યાનમાં રાખીએ છીએ અને કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને કલાસરુમમાં શિક્ષણની શરુઆત કરવામાં આવશે. તેના માટે કોરોનાના નિયમોનું પાલન કરવાનું રહેશે.તેમણે આગળ જણાવ્યું કે, સરકારે ધોરણ ૯ થી ૧૨ના વર્ગો અને કોલેજોના ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપી દીધી છે. અમને સારો સહકાર મળી રહ્યો છે. આવનારા દિવસોમાં તબક્કાવાર રીતે ધોરણ છથી આઠ અને ધોરણ એકથી સાતના વર્ગો પણ શરુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની પહેલી લહેર પછી રાજય સરકારે શાળાઓ અને કોલેજો શરુ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બીજી લહેર શરુ થઈ જવાને કારણે તે બંધ કરવામાં આવી હતી. તાજેતરમાં રાજય સરકારે પહેલા કોલેજો શરુ કરવાની મંજૂરી આપી, ત્યારપછી ધોરણ ૯ થી ૧૨ના વર્ગો શરુ કરવાની મંજૂરી આપી હતી.

આ બાબત સાથે સંબંધ ધરાવતા એક સૂત્રએ જણાવ્યું કે, રાજય સરકારનો વિચાર ૧૫મી ઓગષ્ટ પહેલા ધોરણ ૬ થી ૮ના વર્ગો શરુ કરવાનો છે અને મહિનાના અંત સુધીમાં અન્ય વર્ગો શરુ કરવામાં આવશે

New up 01

 

Related posts

યુ ટ્યુબ અને જી-મેઈલમાં લોગીન કરવાની સેવામાં આવી ખામી

Ahmedabad Samay

ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ:સીઆર પાટીલ

Ahmedabad Samay

અમદાવાદ ના નરોડા મા વિદ્યાર્થી ઓને કરાયા સન્માનિત

Ahmedabad Samay

૨૩ નવેમ્બર થી સ્કૂલ ફરી થશે શરૂ. રાજ્ય સરકારે લીધો નિર્ણય

Ahmedabad Samay

અમદાવાદ થી ગાંધીનગર મેટ્રો રૂટ, સમય અને ટિકિટનો દર

Ahmedabad Samay

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વોલેન્ટીયર્સ તાલીમ કાર્યક્રમ  આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો