હવે અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ એન્ટ્રી મારી છે. કોરોનાથી ચાર વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે, નિરમા વિદ્યાવિહારના 3 વિદ્યાર્થીને કોરોના વળગ્યો : ધો.5,9 અને 11ના 3 વિદ્યાર્થી સંક્રમિત થયા છે જ્યારે ઉદગમ સ્કુલમાં ધોરણ-2ની વિદ્યાર્થીની કોરોનાની ઝપટેમાં આવી છે.
બન્ને શાળાને એક સપ્તાહ માટે બંધ રાખવા આદેશ કરવામાં આવ્યું છે: બન્ને શાળાના વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે,બંને સ્કૂલમાં એક અઠવાડિયા સુધી ઓફલાઇન વર્ગો બંધ રાખવા DEO દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

