કોંગ્રેસના લોકસભાના સાંસદશ્રી અને લોકસભાના વિરોધ પક્ષના નેતાશ્રી અધીર રંજન ચૌધરીએ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજી અંગે સભાનતાપૂર્વક કરેલ ટીકા ટીપ્પણીને વખોડતા કર્ણાવતી મહાનગરના તમામ ૪૮ વોર્ડમાં કોંગ્રેસ પાર્ટી માફી માંગે, શ્રીમતી સોનિયા ગાંધી માફી માંગે તેવા પ્લે કાર્ડ સાથે ધરણા-પ્રદર્શન તેમજ દેખાવોના કાર્યક્રમ યોજાયા હતા.
મહાનગરના સંગઠનના પદાધિકારીશ્રીઓ, વોર્ડના પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મ્યુ.કાઉન્સીલરશ્રીઓ સહીત કાર્યકર્તાઓએ આ દેખાવોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ઉગ્ર વિરોધ નોધાવ્યો હતો.
