March 21, 2025
અપરાધ

ઝૂલતો પુલ દુર્ઘટના : જેલમાં બંધ જયસુખ પટેલે વચગાળાની જામીન અરજી કરી, ૪ માર્ચે સુનાવણી

ઝૂલતો પુલ દુર્ઘટના : જેલમાં બંધ જયસુખ પટેલે વચગાળાની જામીન અરજી કરી, ૪ માર્ચે સુનાવણી

છેલ્લા ૨૦ દિવસથી જયસુખ પટેલ જેલમાં બંધ

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ નાગરિકોના મોત બાદ પોલીસે ઓરેવા ગ્રુપના એમડી સહીત કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા છે ત્યારે ૨૦ દિવસથી જેલમાં બંધ જયસુખ પટેલે આજે વચગાળાની જામીન અરજી કરી છે

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના સમયથી ફરાર રહેલા જયસુખભાઈ પટેલે કોર્ટ સમક્ષ સરન્ડર કરતા જેલહવાલે કરવામાં આવ્યા હતા અને બાદમાં પોલીસે આરોપીનો કબજો મેળવી રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી જે રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરી તેમને સબ જેલ હવાલે કરવામાં આવ્યા હતા ત્યારે ૨૦ દિવસથી જેલમાં બંધ જયસુખ પટેલે કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી છે

મોરબીની કોર્ટમાં જયસુખભાઈ પટેલે આજે વચગાળાની જામીન માટે અરજી કરી છે જેમાં તેમના તરફેના વકીલે કોર્ટમાં દલીલો કરી હતી કે હાઇકોર્ટ દ્વારા પીડિતોને વળતર ચુકવવા જે આદેશ કરાયો છે જેના માટે તેઓને બેંકના કામકાજ સબબ બહાર નીકળવું પડે તેમ હોય જેથી વચગાળાના જામીન આપવામાં આવે તેવી અરજી કરી છે ત્યારે કોર્ટે દલીલો સાંભળી વધુ સુનાવણી તારીખ ૦૪ માર્ચના રોજ મુકરર કરી છે અને હવે તા. ૦૪ માર્ચે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય જેમાં હાઈકોર્ટે પીડિત પરિવારોને વળતર ચુકવવા આદેશ આપ્યો છે જેથી તે દલીલ રજુ કરીને વચગાળાના જામીન માટે અરજી કરાઈ છે ત્યારે હવે મોરબીની કોર્ટ તા. ૦૪ માર્ચે જયસુખ પટેલના વચગાળાના જામીન મંજુર કરે છે કે નહિ તે જોવું રહ્યું

Related posts

અસલાલી માંથી સૂકા માંસ ના જથ્થા સાથે ત્રણ ઇસમોની અસલાલી પોલીસે ધરપકડ કરી

Ahmedabad Samay

રાજકોટમાં કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબત પર બે પાડોશીઓ વચ્ચે બઘડાટી બોલાઈ, મહિલા સહિત ત્રણ ઇજાગ્રસ્ત

Ahmedabad Samay

અમદાવાદ પોલીસ ઉપર બે વર્ષમાં ૧૪૨ વાર હુમલાની ઘટના બની છે

Ahmedabad Samay

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન છેડતી અને બળાત્કારના અનેક બનાવો વધવા પામ્યા છે. ત્યારે વધુ એક છેડતીની ફરિયાદ સામે આવી છે.જેમાં યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાં રહેતી ધો.11 ની સગીરા પોતાની સ્કૂલે જતી હતી. ત્યારે સગીરાના મામાનો મિત્ર તેનો પીછો કરી હાથ પકડી છેડતી કરતો હોવાની જાણ સગીરાએ તેના પરિવારજનોને કરતા તેમના દ્વારા નરાધમ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.આ મામલે ભોગ બનનાર તરૂણી ધો. 11માં અભ્યાસ કરે છે. હાલ રૈયા રોડ વિસ્તારમાં મામા સાથે રહે છે. તેણે પોલીસને જણાવ્યું કે આરોપી નિકુંજ ભરત સોલંકી (ઉ.વ.24,રહે. શાસ્ત્રીનગર) તેના મામાનો મિત્ર હોવાથી અવારનવાર ઘરે આવતો હતો. જેથી તેની સાથે મિત્રતા થઇ હતી. ચારેક મહિના પહેલા તેણે કોલ કરી કહ્યું કે આપણે ખાલી ફ્રેન્ડ તરીકે વાત કરશું. જેથી તેની સાથે ફ્રેન્ડ તરીકે વાત કરવાનું શરૂ કર્યું હતું.ત્રણેક માસ પહેલા તેને કોલ કરી તેના ઘરની પાછળ મળવા બોલાવી હતી. તે વખતે આરોપી નિકુંજે તેની મરજી વિરૂધ્ધ તેના ફોટા મોબાઈલ ફોનમાં પાડી લીધા હતા. અને હાથ પકડીને ગેરવર્તન પણ કર્યું હતું. તેમ કરવાની ના પાડતા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઇશ તેવી ધમકી આપી હતી. બાદ દોઢેક મહિના પહેલા તે સાયકલ લઇ સ્કૂલે જતી હતી ત્યારે રસ્તામાં આરોપી નિકુંજે તેનો પીછો કરી અટકાવી કહ્યું કે તું મારી સાથે વાત કેમ નથી કરતી. બાદમાં તેનો હાથ પકડી લીધો હતા. આ પછી અવારનવાર તેનો પીછો કરવાનું અને છેડતી કરવાનું ચાલુ રાખ્યું હતું. આખરે તેણે મામાને આ વાત કરતાં તેણે આરોપી નિકુંજના પિતા અને ભાઈને ઘરે બોલાવી વાત કરતાં બંનેએ હવે પછી આવું નહીં કરે તેવી ખાતરી આપી હતી. પરંતુ અવવાર ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો. ફરીથી આ બાબતે મામાને વાત કરતાં ફરીથી બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ ગયું હતું.આમ છતાં આરોપી નિકુંજે હેરાન કરવાનું ચાલુ રાખતા આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Ahmedabad Samay

ઓઢવ પોલીસ દ્વારા રીક્ષામાં ચોરી કરતી ટોળકીની ધરપકડ કરી

Ahmedabad Samay

પ્રાંતિજ ના વાધપુર મર્ડર કેસ મા બાકી ના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો