પુર્વ મેનેજર દિશાના આત્મહત્યાના થોડામાં જ ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે બાંદ્રામાં તેમના નિવાસ સ્થાને આત્મહત્યા કરી લેતા ચકચાર ચકચાર મચ્યું છે,આત્મહત્યાનું કારણ બહાર આવ્યું નથી
ટેલીવુડથી અભિનય ક્ષેત્રે સફળ અભિનેતા સુશાંતસિંહ રાજપુતે બોલીવુડમાં પણ પોતાનું સ્થાન અભિનય ક્ષેત્રે મજબુત કર્યુ હતું. તેમની કાયપો છે, છિછોરે જેવી સફળ ફિલ્મો કરી હતી. તેમની ફિલ્મ કેદારનાથ ફિલ્મ પણ હીટ નિવડી હતી. તેમને ધોની ફિલ્મમાં ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો અભિનય પ્લે કર્યો હતો. છેલ્લા ૬ મહિનાથી સુશાંતસિંહ તેના ટવીટર પર સક્રિય ન હતા.
આમ અચાનક સુશાંતસિંહના આ આત્મઘાતી પગલાથી સમગ્ર બોલીવુડ જગત સ્તબ્ધ થઇ ગયું છે. અસંખ્યા ફિલ્મી હસ્તીઓએ ટવીટર પર સદ્ગત સુશાંતસિંહ ને શ્રધ્ધાજંલી પાઠવી હતી.
