March 25, 2025
ગુજરાત

વાવાઝોડાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો,મુસાફરો અટવાયા,સ્કૂલો બંધ કરાઇ અને ટ્રાન્સપોર્ટ પર પણ થઇ અસર

બિપરજોય વાવાઝોડા અંગે હવામાન વિભાગની આગાહીના કારણે આપાતકાલીન પરિસ્‍થિતિને ધ્‍યાને લઇ શુક્રવારના રોજ શહેરની તમામ પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચ માધ્‍યમિક (સરકારી,અનુદાનિત,ખાનગી) શાળાઓ તથા કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ રાખી  શાળામાં રજા રાખવા આદેશ કર્યા હતા.

જામનગર જીલ્લામાં વાવઝોડાની લીધે એસટી સેવા બંધ કરવામાં આવી છે. ધ્રોલ, જામજોધપુર, લાલપુર તાલુકામાં એસટી બસનાં રૂટ સ્‍થગિત કરાયા છે. જામનગર ડેપો ખાતે વર્ષો જૂનું વૃક્ષ જમીન દોસ્‍ત થયું હતું. વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ બસનાં રૂટ બંધ થતાં મુસાફરો અટવાયા હતા.

કચ્‍છનાં ટ્રાન્‍સપોર્ટ ઉદ્યોગ પર બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ છે. બિપોરજોય વાવાઝોડાને લઈને ટ્રકોનાં પૈડા થંભી ગયા હતા. મુન્‍દ્રા, કંડલા પોર્ટ અને લિગ્નાઈટ ઉદ્યોગ બંધ હોવાથી ટ્રકોનાં પૈડા થંભ્‍યા છે. ટ્રકો નહી દોડાવવાનો ટ્રક માલિકો દ્વારા નિર્ણય કર્યો છે. ડ્રાઈવરને પણ સુરક્ષિત જગ્‍યાએ પહોંચવા માટે સૂચના અપાઈ હતી.

રાજયભરમાં બિપોરજોય વાવાઝોડાને પગલે સાવચેતીનાં ભાગરૂપે સ્‍કૂલ, કોલેજો તેમજ શાળાઓ બંદ રાખવાનો નિર્ણય કરાયો છે. ત્‍યારે બનાસકાંઠાના વાવની તમામ શાળાઓ ૩ દિવસ બંધ રહેશે. વાવાઝોડાની સ્‍થિતિને ધ્‍યાને રાખીને નિર્ણય લેવાયો છે. સરહદી વિસ્‍તારમાં વાવાઝોડાની વધુ અસર થાય તેવી શક્‍યતા છે. વહીવટી તંત્રએ સરપંચ, શિક્ષકો અને આગેવાનો સાથે બેઠક કરી હતી.

બિપોરજોય વાવાઝોડાનાં પગલે અંજારમાં આવેલ માતાના મઢ યાત્રાધામ સહિતનાં ગામને બંધ કરાયું હતું.  વાવાઝોડાની અસરને પગલે તંત્ર દ્વારા મહત્‍વનો નિર્ણય કરાયો હતો. દરિયામાં વાવાઝોડાની અસરને લઈને ભારે કરંટ જોવા મળ્‍યો હતો.

Related posts

મોરબી જિલ્લાના તબીબી અધિકારી ડો. સંજય જીવાણીનો કોરોના રીપોર્ટ નેગેટીવ

Ahmedabad Samay

આજનો મોદીજીનો કાર્યક્રમ:ગાંધીનગરથી દહેગામ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે.

Ahmedabad Samay

આ વખતે ભાજપને ૩૭૦ થી વધુ સીટો મળશે, મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે : જગદગુરુ રામભદ્રાચાર્ય

Ahmedabad Samay

આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Ahmedabad Samay

સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા જરુરત મંદ મહિલાઓ માટે ફ્રી મા કેક વર્કશોપનો આયોજન કરવા મા આવ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં એરેના એનિમેશન મણિનગર ,વસ્ત્રાપુર, ન્યુ રાણીપ શાખા દ્વારા “ક્રિએટિવ હન્ટ ૨૦૨૩”સ્ટુડન્ટ વર્ક નું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો