June 10, 2026
Other

પાટીદાર પરિવાર ટ્રસ્ટ તરફથી આજ રોજ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકો ના ઈનામ વિતરણ કરાયું

શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ(લવ-કુશ) અને શ્રી પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટ તરફથી આજ રોજ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકો ના ઈનામ વિતરણ અને સન્માન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નરહરિ અમીન, સંસદ સભ્ય, રાજય સભા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટ ના પ્રમુખ જિગીષા બેન પટેલની ઉપસ્થિતિ એ નવી ઉર્જાનો સંચાર કર્યો.
પાટીદાર પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભીખુભાઇ એલ.પટેલ, ચેરમેન ડૉ. જીતુભાઇ બી.પટેલ , સેક્રેટરી રમેશચંદ્ર બી. પટેલ, ટ્રસ્ટીશ્રીઓ બાબુભાઇ પટેલ, ડો વિશ્વાસ અમીન, આર સી પટેલ, સનેહલભાઈ પટેલ (પીસી સ્નેહલ ગ્રુપ) હાજર રહી ઇનામ વિતરણ કાર્યક્રમને ઓપ આપ્યો હતો .


આ પ્રસંગે કવયિત્રી અને લેખિકા બીનાબહેન પટેલે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું અને જણાવ્યું હતું કે , તેજસ્વી બાળકોએ જીવનમાં સતત મહેનત કરવી જોઈએ .તેઓએ શિક્ષણની સાથે સાથે આપણી સંસ્કૃતિનું જતન કરતાં પણ શીખવું પડશે.બીના બહેને પોતાના નવા પુસ્તક ‘સનાતનનો જયઘોષ ‘ભવ્ય રામમંદિર વિષે ઊંડાણપૂર્વક વાત કરી .
આ સુંદર પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

કોરોના મહામારી આવી ત્યારથી સખ્તાઇ પૂર્વક બધું બંધ કરવામાં આવી રહ્યું છે તો દેશી દારૂ કેમ નહિ ? ઓક્સિજન નું કામ પણ બુટલેગરો સોપો કદી અછત નહિ પડે

Ahmedabad Samay

મેઘાણીનગરમાં યુવતીના અપહરણ બની ઘટના, કલાસીસ માંથી

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ (NUCFDC), શહેરી સહકારી બેંકો (UCBs) માટેની અમ્બ્રેલા સંસ્થાનું લોકાર્પણ કરશે.

Ahmedabad Samay

બેઠક રહી નિષ્ફળ,પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવા પર ક્ષત્રિય સંગઠનો અડગ રહ્યા

Ahmedabad Samay

ખોખરા અને CTMને જોડતા જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબ થતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો

Ahmedabad Samay

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો