May 13, 2026
Other

અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસને ઓખા સ્‍ટેશન સુધી લંબાવવામાં આવી

અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસને ઓખા સ્‍ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી ૧૨મી માર્ચ, ૨૦૨૪ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે વીડિયો કોન્‍ફરન્‍સિંગ દ્વારા અમદાવાદ-જામનગર વંદે ભારત એક્‍સપ્રેસના ઓખા સુધીના વિસ્‍તરણને લીલી ઝંડી દેખાડસે.

ટ્રેન નંબર ૦૯૪૨૬ ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસની શરૂઆતની ઉદ્ધાટન ની ટ્રીપ ને ૧૨ માર્ચ, ૨૦૨૪ના રોજ દ્વારકાથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. ટ્રેન નંબર ૨૨૯૨૫ અમદાવાદ-ઓખા વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસનું નિયમિત સંચાલન ૧૩ માર્ચ, ૨૦૨૪થી શરૂ કરવામાં આવશે. આ ટ્રેન મંગળવાર સિવાય દરરોજ અમદાવાદથી ૧૮:૧૦ કલાકે ઉપડશે, દ્વારકા તે જ દિવસે ૨૩.૫૪ કલાકે પહોંચી ને ૨૩.૫૯ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૦:૪૦ કલાકે ઓખા પહોંચશે.

તેવી જ રીતે, રિટર્ન માં, ટ્રેન નંબર ૨૨૯૨૬ ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ નું નિયમિત સંચાલન ૧૪ માર્ચ, ૨૦૨૪ થી શરૂ કરવામાં આવશે. આ ટ્રેન ઓખાથી બુધવાર સિવાય દરરોજ ૦૩:૪૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૦૪.૦૫ કલાકે દ્વારકા પહોંચી ને ૦૪.૧૦ કલાકે ઉપડશે અને ૧૦:૧૦ કલાકે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્‍દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્‍ટેશને ઉભી રહેશે. ઉપરાંત, બંને દિશામાં જામનગર અને અમદાવાદ વચ્‍ચેના કોઈપણ સ્‍ટેશનના આગમન-પ્રસ્‍થાનના સમયમાં અથવા સ્‍ટોપેજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્‍ઝિકયુટિવ ચેર કાર કોચ હશે.

Related posts

પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માનની પુત્રીએ તેના પિતા પર ગંભીર આરોપ લગાવ્‍યા

Ahmedabad Samay

છુટા-છેડા ને લઇ કાયદાકીય બાબતે મહત્વની વાતો એડવોકેટ ઓઢવેલની ડાયરીથી

Ahmedabad Samay

સરદાર પટેલ જયંતિ પર તેમની રસપ્રદ વાતો

Ahmedabad Samay

ઇ-મેઇલ દ્વારા અમદાવાદ સહિત દેશના 12 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 41 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા.

Ahmedabad Samay

યુનાઈટેડ નોબલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા દિવ્યાંગ અને મંદબુદ્ધિ ના બાળકો માટે શેક્ષણિક કીટ અને નાસ્તો વિતરણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો