March 5, 2026
Other

અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસને ઓખા સ્‍ટેશન સુધી લંબાવવામાં આવી

અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસને ઓખા સ્‍ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી ૧૨મી માર્ચ, ૨૦૨૪ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે વીડિયો કોન્‍ફરન્‍સિંગ દ્વારા અમદાવાદ-જામનગર વંદે ભારત એક્‍સપ્રેસના ઓખા સુધીના વિસ્‍તરણને લીલી ઝંડી દેખાડસે.

ટ્રેન નંબર ૦૯૪૨૬ ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસની શરૂઆતની ઉદ્ધાટન ની ટ્રીપ ને ૧૨ માર્ચ, ૨૦૨૪ના રોજ દ્વારકાથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. ટ્રેન નંબર ૨૨૯૨૫ અમદાવાદ-ઓખા વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસનું નિયમિત સંચાલન ૧૩ માર્ચ, ૨૦૨૪થી શરૂ કરવામાં આવશે. આ ટ્રેન મંગળવાર સિવાય દરરોજ અમદાવાદથી ૧૮:૧૦ કલાકે ઉપડશે, દ્વારકા તે જ દિવસે ૨૩.૫૪ કલાકે પહોંચી ને ૨૩.૫૯ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૦:૪૦ કલાકે ઓખા પહોંચશે.

તેવી જ રીતે, રિટર્ન માં, ટ્રેન નંબર ૨૨૯૨૬ ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ નું નિયમિત સંચાલન ૧૪ માર્ચ, ૨૦૨૪ થી શરૂ કરવામાં આવશે. આ ટ્રેન ઓખાથી બુધવાર સિવાય દરરોજ ૦૩:૪૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૦૪.૦૫ કલાકે દ્વારકા પહોંચી ને ૦૪.૧૦ કલાકે ઉપડશે અને ૧૦:૧૦ કલાકે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્‍દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્‍ટેશને ઉભી રહેશે. ઉપરાંત, બંને દિશામાં જામનગર અને અમદાવાદ વચ્‍ચેના કોઈપણ સ્‍ટેશનના આગમન-પ્રસ્‍થાનના સમયમાં અથવા સ્‍ટોપેજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્‍ઝિકયુટિવ ચેર કાર કોચ હશે.

Related posts

સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષા રોપણ ના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

Ahmedabad Samay

અમદાવાદ સમય તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

ભક્તો નહિ કરી શકે દર્શન, કોરોના સંક્રમણ વધતા મોટા ભાગના મંદિરો થયા.

Ahmedabad Samay

ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, આદરણીય શ્રી લાલ સિંહ આર્યજી આજરોજ અમદાવાદની મુલાકાત લેશે

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલે અનોખી રીતે કરી વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ ની ઉજવણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો