ડૉ. વૈશાલી જોષીના ચકચારી આત્મહત્યા કેસમાં આખરે અમદાવાદ પોલીસે, ઇકોનોમિક ઓફેન્સ વિંગના PI બી કે ખાચર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
બે દિવસ પૂર્વે ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા મહીસાગર જઇને મૃતક ડોકટર વૈશાલી જોષીના પરિવારજનોના નિવેદન નોંધ્યા હતા. આ ઘટના અંગે વડોદરા રહેતા કિંજલ બેન પંડ્યાએ ફરિયાદ નોંધાવી હતી.ડો. વૈશાલી જૌષીએ, ક્રાઇમ બ્રાન્ચના કેમ્પસમાં ઈન્જેકશન મારીને આત્મહત્યા કરી હતી.
