February 5, 2026
Other

ઉજૈન મહાકાલ મંદિરમાં મોટો અકસ્માત સર્જાયો,મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો

મહાકાલ મંદિરમાં મોટો અકસ્માત સર્જાયો છે. મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં 10 લોકો ગંભીર રીતે દાઝ્યા છે. તો બીજી તરફ સૂચના મળતાં પોલીસ અને રાહત બચાવની ટીમ આગમાં દાઝેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જોકે ટીમે સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો.

સોમવારે સવારે ઉજ્જૈનના જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગેલી આગમાં 13 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, મંદિરમાં અબીલ ગુલાલ ચઢાવતી વખતે મંદિરના ગર્ભગૃહમાં આગ લાગી હતી. આગના કારણે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાસ્થળે પહોંચેલી ટીમે તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. કલેક્ટર નીરજ સિંહ અને એસપી પ્રદીપ શર્મા પણ ઘાયલોની ખબર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા છે. ડોક્ટરોની ટીમે જણાવ્યું કે તમામ ઘાયલોની હાલત સ્થિર છે અને ખતરાની બહાર છે. ભક્તોનું કહેવું છે કે મંદિરમાં ગુલાલ ઉડાડતી વખતે અચાનક આગ ફાટી નીકળી હતી.

પૂજારી સહિત 13 લોકો ઘાયલ – કલેક્ટર

આ મામલે વધુ માહિતી આપતા જિલ્લા મેજિસ્ટ્રેટ નીરજ કુમાર સિંહે જણાવ્યું હતું કે, “ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી હતી. આ ઘટનામાં 13 લોકો ઘાયલ થયા છે.

Related posts

નવી સોલિડ-સ્ટેટ બેટરી ટેકનોલોજીથી ઇલેક્ટ્રિક કારની દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખશે, બેટરી માત્ર પાંચ મિનિટમાં ફૂલ ચાર્જ થઈ શકશે

Ahmedabad Samay

ન્યાય અને જન કલ્યાણ અર્થે છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય કાર્યાલયનો શ્રી સી.આર.પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં પતિના જાણ બહાર પત્‍નીની બીજા લગ્ન કરાવતા જમાઇએ સાસુની હત્યા કરી

Ahmedabad Samay

રાજસ્થાન યુવા મંચ દ્વારા શહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

સાધ્વીજી મહારાજ ઉપવાસ પર ઉતરવું પડે એવું કામ કોણે કર્યું: હાર્દિક હૂંડિયા

Ahmedabad Samay

G20 સમિટમાં લંચ અને ડિનરમાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ શાકાહારી વાનગીઓનો સમાવેશ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો