November 17, 2025
અપરાધગુજરાત

આસારામને રાજસ્થાન હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે આસારામને તબીબી કારણોસર છ મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા

બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે આસારામને તબીબી કારણોસર છ મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. કેસની સુનાવણી કરતા કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સંજીવ પ્રકાશ શર્માની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે આસારામને વચગાળાના જામીન મંજૂર કર્યા છે.

આસારામ હાલમાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમના ખરાબ સ્વાસ્થ્યને કારણે આસારામે નિયમિત જામીન માટે અરજી કરી હતી. તેઓ જાતીય શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટ તરફથી રાહત

જાન્યુઆરીની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે 2013ના બળાત્કાર કેસમાં તબીબી કારણોસર આસારામને માર્ચના અંત સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. સુપ્રીમ કોર્ટની બેન્ચે ત્યારબાદ નોંધ્યું હતું કે આસારામને ઉંમર સંબંધિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાય છે અને તેમને બે હૃદયરોગના હુમલાનો સામનો કરવો પડ્યો છે.

 

Related posts

નેક્સસ અમદાવાદ વન અને 8 પિન્સ દ્વારા ABCL-2023 અમદાવાદ બાઉલિંગ સોલો લિગ સફળતા પૂર્વક યોજાઈ

Ahmedabad Samay

નારોલ : વેપારીએ ખંડણી નહિ આપતા કર્યુ ફાયરીંગ

Ahmedabad Samay

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસ અને ઈન્કમટેક્સ બાર એસોસિએશન અમદાવાદ દ્વારા ટેક્સ કોન્કલેવ યોજાશે

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસ BRTS કોરિડોરમાં ચુસ્ત બતાવવા કરતા જાહેર માર્ગ પર ધ્યાન આપે તો BRTS કોરિડોરમાં જવાની જરૂર ન પડે

Ahmedabad Samay

સુરતના સૈયદપુરા વિસ્તારમાં કોમી શાંતિ ડહોળાવાની ઘટના સામે આવી છે. મુસ્લિમ સમાજના બે યુવકોએ ગણપતિ મંડપ પર પથ્થર મારો કર્યો

Ahmedabad Samay

ખૂંખાર અપરાધીઓ તેમના નામમાત્રથી ધ્રૂજતા. તેવા એડિશનલ ડીજીપી લેવલના આઇપીએસ અધિકારી શ્રી અભયસિહ ચુડાસમા થયા નિવૃત્ત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો