June 27, 2026
Other

રાજા રઘુવંશીની મર્ડર કેસમાં વધુ એક ખુલાસો, સુહાગરાત મનાવવા પહેલા રાખી એક શરત

રાજા રઘુવંશીના મોત મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. રાજા રઘુવંશીની મોતનો આરોપ તેની પત્ની સોનમ રઘુવંશી પર છે. રાજા અને સોનમના લગ્ન 11 મેના રોજ થયા હતા. જે બાદ તેઓ 21 મેના શિલોંગ પહોંચ્યા હતા અને 23 મેના રોજ રાજાની હત્યા કરી દેવામાં આવી હતી. 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ ખીણમાં પડેલો મળ્યો હતો. હવે પતિના આરોપસર ધરપકડ કરાયેલી સોનમ રઘુવંશી વિશે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે.

મેઘાલય પોલીસના જણાવ્યા પ્રમાણે, સોનમ હનીમૂન મનાવવા માટે નહીં પણ રાજાને તેની હત્યા કરવા માટે શિલોંગ લઈ ગઈ હતી. સોનમ તેની ઇચ્છા વિરુદ્ધ આ લગ્નથી ખુશ નહોતી અને તેથી તે રાજાને તેની નજીક આવતા સતત રોકી રહી હતી.  રાજાને તેની નજીક આવતા અટકાવવા માટે તેણીએ કામાખ્યા દેવીના દર્શન કરવાની શરત મૂકી હતી.

લગ્ન પછી સોનમ 4 દિવસ તેના સાસરિયામાં રહી હતી. આ પછી તે તેના પિયરમાં આવી ગઈ હતી. ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, સોનમે સાસરિયામાં રહીને તેના પ્રેમી રાજને મેસેજ કરીને જણાવ્યું હતું કે, તેણીને રાજાનો સ્પર્શ કરવો પસંદ નથી.

હનીમૂન ટ્રીપ માટે રાજા લગ્ન પછી તરત જવા માટે તૈયાર ન હતો. પરંતુ સોનમે તેને કહ્યા વિના ટિકિટ બુક કરાવીને તેને મનાવી લીધો હતો. સોનમે કથિત રીતે રાજાને કહ્યું હતું કે, તે પહેલા દેવી કામાખ્યાના દર્શન કરશે અને તે પછી જ તે તેની સાથે સંબંધ બનાવશે.

સોનમ હત્યાની તૈયારી અને કોન્ટ્રાક્ટ કિલર્સના શિલોંગ પહોંચવા માટે સમય પસાર કરવા માંગતી હતી.રાજાના મોત બાદ કિલર્સ સોનમના પિતા સાથે પણ જોવા મળ્યા હતા

Related posts

ચણિયા ટોળી’ ફિલ્મે અત્યાર સુધી ભારતમાં 13.71 કરોડથી વધુ કમાણી કરી

Ahmedabad Samay

વર્લ્ડ હેલ્થ ડે પર તમારા રોજિંદા આહારમાં બદામનો ઉપયોગ કરો, બદામને હેલ્ધી ફૂડમાં સામેલ કરવા માટેના એક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે

admin

ચૂંટણી પરિણામ

Ahmedabad Samay

ઈરાન સામે ઈઝરાયેલના જવાબી પગલાની અસર આજે શેરબજારમાં પણ જોવા મળી

Ahmedabad Samay

પ્રથમ વખત દેશના વડાપ્રધાનશ્રીની નેમ પ્લેટ પર ‘ઇંડિયા’ ને બદલે ભારત લખાયું

Ahmedabad Samay

કરણી સેનાના અધ્યક્ષની હત્યાના કચ્છમાં પડયા પડઘાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો