March 27, 2026
ગુજરાત

અમદાવાદ: બિહારના ઉપમુખ્યમંત્રીને મેટ્રો કોર્ટનું તેડું! સમન્સ પાઠવ્યું, વધુ સુનાવણી 20 મેના રોજ થશે!

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે અમદાવાદની મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ થઈ છે, જેના પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, મેટ્રો કોર્ટે તેજસ્વી યાદવને નિયમ 202 અંતર્ગત સમન્સ પાઠવ્યું છે. આ કેસની વધુ સુનાવણી હવે 20 મેના રોજ હાથ ધરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, 20 મેના રોજ તેજસ્વી યાદવ અને અરજદારે પૂરાવા સાથે હાજર રહેવું પડી શકે છે. જણાવી દઈએ કે, આ મામલે અગાઉ નરોડામાં રહેતા, સામાજિક કાર્યકર અને ફરિયાદી હરેશ મહેતાનું નિવેદન લેવામાં આવ્યું હતું. સાથે ફરિયાદ દ્વારા તેજસ્વી યાદવના વીડિયોની સીડી, પેન ડ્રાઈવ અને સર્ટિફિકેટ સહિતના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.

શું છે મામલો?

મીડિયા રિપોર્ટ અનુસાર, તેજસ્વી યાદવ સામે આરોપ છે કે તેમણે સભાન અવસ્થામાં ગુજરાતીઓનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો છે. ફરિયાદમાં કહેવાયું છે કે તેજસ્વી યાદવ એક નેતા અને જવાબદાર વ્યક્તિ છે. તેમના થકી આ પ્રકારનું નિવેદન યોગ્ય નથી. સાથે જ તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માગ કરાઈ છે. સૂત્રો મુજબ, તેજસ્વી યાદવે PNB કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની રેડ કોર્નર નોટિસ રદ થવાના સવાલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આજે આ દેશમાં ગુજરાતીઓ જ ઠગ બની શકે છે. બની શકે છે કે ઠગને માફ કરવામાં આવે. એલઆઈસીના રૂપિયા, બેંકના રૂપિયા આપી દો પછી તેઓ લઈને ભાગી જશે તો કોણ જવાબદાર જશે. જણાવી દઈએ કે, CBIના દરોડાથી નારાજ તેજસ્વી યાદવ કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા હતા. આ દરોડા માટે તેમણે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી.

Related posts

દાણીલીમડા માં મોટું કતલખાનું ઝડપાયું, અબોલ પ્રાણીઓ નો થયો બચાવ

Ahmedabad Samay

અમદાવાદમાં આંગણવાડીમાં કામ કરતા કર્મચારીના દીકરાએ UPSC ક્લિયર કરી

Ahmedabad Samay

એપ્રિલ ૨૦૨૧ થી નવા નાણાકીય વર્ષની શરૂઆતથી તમામ વસ્તુ થશે મોંઘી

Ahmedabad Samay

અમદાવાદ-કોર્પોરેશન તરફથી પ્રથમ વખત એડવાન્સ ટેક્સના 15 ટકા સુધી મુક્તિ, જાણો કેટલી થશે આવક

admin

છૂટ છાટ સાથે મીની લોકડાઉન લંબાય તેવી શક્યતા, સાંજે નિર્ણય લેવાશે

Ahmedabad Samay

અમદાવાદ – રામોલ પોલીસે 37 લાખની કિંમતનું 376 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો