July 4, 2026
ગુજરાત

અમદાવાદ: બિહારના ઉપમુખ્યમંત્રીને મેટ્રો કોર્ટનું તેડું! સમન્સ પાઠવ્યું, વધુ સુનાવણી 20 મેના રોજ થશે!

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે અમદાવાદની મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ થઈ છે, જેના પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, મેટ્રો કોર્ટે તેજસ્વી યાદવને નિયમ 202 અંતર્ગત સમન્સ પાઠવ્યું છે. આ કેસની વધુ સુનાવણી હવે 20 મેના રોજ હાથ ધરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, 20 મેના રોજ તેજસ્વી યાદવ અને અરજદારે પૂરાવા સાથે હાજર રહેવું પડી શકે છે. જણાવી દઈએ કે, આ મામલે અગાઉ નરોડામાં રહેતા, સામાજિક કાર્યકર અને ફરિયાદી હરેશ મહેતાનું નિવેદન લેવામાં આવ્યું હતું. સાથે ફરિયાદ દ્વારા તેજસ્વી યાદવના વીડિયોની સીડી, પેન ડ્રાઈવ અને સર્ટિફિકેટ સહિતના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.

શું છે મામલો?

મીડિયા રિપોર્ટ અનુસાર, તેજસ્વી યાદવ સામે આરોપ છે કે તેમણે સભાન અવસ્થામાં ગુજરાતીઓનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો છે. ફરિયાદમાં કહેવાયું છે કે તેજસ્વી યાદવ એક નેતા અને જવાબદાર વ્યક્તિ છે. તેમના થકી આ પ્રકારનું નિવેદન યોગ્ય નથી. સાથે જ તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માગ કરાઈ છે. સૂત્રો મુજબ, તેજસ્વી યાદવે PNB કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની રેડ કોર્નર નોટિસ રદ થવાના સવાલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આજે આ દેશમાં ગુજરાતીઓ જ ઠગ બની શકે છે. બની શકે છે કે ઠગને માફ કરવામાં આવે. એલઆઈસીના રૂપિયા, બેંકના રૂપિયા આપી દો પછી તેઓ લઈને ભાગી જશે તો કોણ જવાબદાર જશે. જણાવી દઈએ કે, CBIના દરોડાથી નારાજ તેજસ્વી યાદવ કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા હતા. આ દરોડા માટે તેમણે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી.

Related posts

નરોડા વિસ્તારમાં રાજધાની એક્સપ્રેસ જેવું સુપરફાસ્ટ કામનું નામ કાઉન્સિલર રાજેન્દ્ર સોલંકી

Ahmedabad Samay

રિવરફ્રન્ટ ખાતે 27 કરોડના ખર્ચે વિશાળ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની કામગીરી પૂર્ણ થવાની તૈયારી

Ahmedabad Samay

ગુજરાત બોર્ડની એસએસસી પરીક્ષાનું એડમિટ કાર્ડ કરાયું જારી, આ રીતે કરી શકાય છે ડાઉનલોડ

Ahmedabad Samay

અમદાવાદમાં નવા ૦૯ વિસ્તારને માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા અને ૦૪ માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન દૂર કરાયા

Ahmedabad Samay

હવામાન વિભાગે રાજ્‍યમાં ગરમીની આગાહી કરી છે ત્‍યારે હવે ફરી એકવાર વરસાદનું આગમન થયું

Ahmedabad Samay

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ વધ્યા,શંકાસ્પદ કેસ વધીને 71 થયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો