May 21, 2026
ગુજરાત

હિન્દુ સેનાની જામનગરમાં ગુજરાત સ્તરની 2026ની કાર્યપદ્ધતિની અગત્યની બેઠક યોજાઇ

હિન્દુ સેનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રતીક ભટ્ટ અને રાષ્ટ્રીય કારોબારીમાં વિનયજી શર્માનો સમાવેશ કરવામાં આવ્યો,જામનગરમાં કાશી વિશ્વનાથ મંદિર સામે આવેલ શ્રી દયાશંકર બ્રહ્મપુરીની વાડી, જામનગર ખાતે હિન્દુ સેના ગુજરાતના જિલ્લા શહેર સ્તરનાની 2026 ની સંગઠનલક્ષી કાર્યપધ્ધતિ અને સંઘર્ષમય કાર્યોને લઈ અગત્યની બેઠકનું ભવ્ય આયોજન કરાયું હતું.

આ બેઠકમાં હિન્દુ સેના ના શરૂઆત ૐ કાર ત્યારબાદ હિન્દુ સેના ધર્માચાર્ય વિભાગની ટીમ કર્મકાંડી ભૂદેવોએ મંત્રોચારનું કરી, કર્ણાવતીથી પધારેલ પ્રદેશ સંગઠન મંત્રી કોમલસિંગ ભાદોરીયા, પ્રદેશ લીગલ એડવાયાઝર નિરલ ઝાલા, ધ્રોલના સૌરાષ્ટ્ર પ્રાંત ઉપપ્રમુખ ગૌરવ મહેતા, લાલપૂરથી આવેલ જામનગર જિલ્લા ઉપપ્રમુખ ગોવિંદભાઈ વશરા દ્વાર દીપ પ્રાગટ્ય કર્યું હતું.

જ્યારે આ બેઠક માં વચ્ચે પ્રોજેક્ટરથી હિન્દુ સેના દ્વારા ગુજરાત માં કરેલી કામગીરીની ક્ષણો બતાવી હતી ત્યાર બાદ જે સૈનિકોએ સંઘર્ષમય કાર્યો કર્યા તેમનું સન્માન કર્યા બાદ દિલ્હી સ્થિત હિન્દુ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ લાઇવ કરી સૈનિકોને માર્ગદર્શન આપ્યું અને ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતીક ભટ્ટને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત હિન્દુ સેન ઉપાધ્યક્ષ વિનયજીને હિન્દુ સેના રાષ્ટ્રીય કારોબારીમાં સામીલ કર્યા હતા, હિન્દુ સેના જામનગરના પ્રમુખ દિપક પિલ્લાઈ, સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન, હિન્દુ સેના ઉપાધ્યક્ષ વિનયજીએ રાષ્ટ્ર ધર્મ સંસ્કૃતિ ને લઈ કામ કરતી હિન્દુ સેના ના પરિચય આપ્યો અને સંઘર્ષમય કામ માટે તૈયાર રહેવા હાકલ કરી હતી, તેમજ યુવા અધ્યક્ષ મયુર પટેલ દ્વારા હિન્દુ સેના ની કાર્ય પધ્ધતિ અને કાર્યક્રમો ની રૂપરેખા અને જવાબદાર સૈનીકો ની ફરજ વિશે માહિતગાર કર્યા તેમજ હિન્દુ સેના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ દ્વારા આગામી 15 નવેમ્બરે 10,000 યુવાનોનું મહાસંમેલન, કતલખાને થી પાછી લવાતા ગૌવંશ માટે સંભાળ રાખવી તેમજ વર્ષો પહેલા ની જે પરંપરા “અમે 2 અમારા 2 ને તિલાંજલી આપવી અને અમે 2 અને અમારા 4 ને અપનાવવી”યોજનાને આગળ વધાવી અને આજે રાષ્ટ્ર માટે લડનાર ની ફોઝ તૈયાર કરવી જે હિન્દુ સેના પૂરી પાડશે તેવી તૈયારી જાહેર મંચ પર સ્વીકારી હતી.

Related posts

ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટતા ભારે તબાહી

Ahmedabad Samay

બપોરે ૩.૦૨ કલાકે PSLV-C49થી સફળતાપૂર્વક લોન્ચિંગ, ભારતીયો ને અભિનંદન, ભારતીયો માટે ગૌરવ ની વાત

Ahmedabad Samay

મ્યુકર માઇક્રોસીસ નામની નવી બીમારી,અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ૪૪ દર્દીઓ દાખલ:૦૯લોકોના મોત

Ahmedabad Samay

ગુજરાતી વિષય માં ગુજરાતી માધ્ય ના વિદ્યાર્થીઓ નું પરિણામ નબળુ

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો-2023નું ઉદ્દઘાટન કર્યુ,જાણો ફલાવર શો વિશેની તમામ માહિતી

Ahmedabad Samay

મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ઓગસ્ટ સુધીમાં સંપૂર્ણ કાર્યરત્ થઇ જાય તેવી સંભાવના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો