February 5, 2026
અપરાધ

પીપળજ રોડ પર આવેલા ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટમાં 12 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા

અમદાવાદના પીરાણા વિસ્તાર ખાતેપી પળજ રોડ પર ગણેશનગરના રેવા એસ્ટેટની કેમિકલની ફેક્ટરીમાં બુધવારે 11 વાગ્યા પછી બોઇલર ફાટ્યું હતું. જેના કારણે બાજુમાં કોમન દિવાલ ધરાવતા નાનુકાકા એસ્ટેટમાં આવેલા 3-4 શેડ્સની દિવાલો અને છત તૂટી પડી હતી. જેમાં સાહિલ એન્ટરપ્રાઇઝ નામના કાપડના ગોડાઉનમાં પેકિંગનું કામ કરતા મજૂરો દટાઇ ગયા હતા.

એક બાજુ તુટી પડેલ શેડ્સ અને બીજી બાજુથી આગને કારણે કામદારોને બચવાનો કોઇ રસ્તો જડ્યો નહતો. ઘટના સમયે ગોડાઉનમાં 25 જેટલા સ્ત્રી-પુરુષો કામ કરી રહ્યા હતા. અચાનક આ ઘટનાને કારણ તેમને ત્યાંથી નીકળવાની તક મળી નહતી.

ઘટનાની જાણ થતાં 24 ગાડીઓ અને 60 જવાનો સાથેને ફાયર ફાઇટરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પાછળથી NDRFની 30 સભ્યોની ટીમ પણ બચાવ અને રાહત કાર્યમાં જોડાઇ હતી. જવાનોએ યુદ્ધના ધોરણે કાટમાળ નીચેથી ફસાયેલાઓને કાઢ્યા હતાં.

આ દુર્ઘટનાને લઇને કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. જેમાં કોંગ્રેસનાં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ટ્વિટ કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી પર નિશાન સાધ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર માટે જેટલો પ્રેમ છે એટલો ગુજરાત માટે પણ રાખો.

તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા વિપક્ષ નેતા બનેલાં કમળાબેન ચૌહાણે પણ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, આ ઘટનાને વખોડુ છું. સવારે આ ઘટનાની ઘટી પણ ભાજપના કોઈ શાસક નહોતુ આવ્યું. જો કે પીએમના ટ્વીટ બાદ તંત્ર દોડતુ થયું હતું. મેયરે સામન્ય ઘટના ગણાવી તે નીંદનીય છે.

12 લોકોનો ભોગ લેવાયો છતાં મેયર બિજલ પટેલને ઘટના સામાન્ય લાગી

અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર કાપડના ગોડાઉનમાં આગથી 12 લોકોના મોત નીપજયાં છતાં શહેરના મેયર બિજલે પટેલે સામાન્ય ઘટના ગણાવતા વિવાદ સર્જાયો છે. બુધવારે સવારે 11 વાગે પીરાણા પીપળજ રોડ પરના ગણેશનર વિસ્તારમાં કેમિકલ ફેકટરીમાં વિસ્ફોટ બાદ બાજુના ગોડાઉનોમાં દિવાલો અને છત તૂટી પડી હતી. સાથે આગ પણ લાગી જતાં 18થી 20 લોકો તેની નીચે દટાઇ ગયા હતાં.

ગોડાઉન ભુટાભાઇ ભરવાડ નામની વ્યક્તિનું હોવાનું સામે આવ્યું

નોંધનીય છે કે રેવા એસ્ટેટમાં આવેલ સાહિલ એન્ટરપ્રાઇઝમાં કાપડના ગોડાઉનમાં બોઇલરમાં બ્લાસ્ટ થતા બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું. જેમાં 9ના મોત નિપજ્યાં છે અને 9 દાખલ તેમજ હજી 2 લોકો દટાયેલાં છે. જાણવા મળી રહ્યું છે કે, આ ગોડાઉન ભુટાભાઇ ભરવાડ નામની વ્યક્તિનું છે. પોલીસે હાલમાં કાપડના ગોડાઉન માલિકની પૂછપરછ શરૂ કરી છે.

.

અમદાવાદમાં આટલો મોટો ગેરકાયદેસર ગોડાઉ સરકારી બાબુઓ ના નજરે કેમ ન પડી?

શુ સરકારી બાબુ અને ગોડાઉન ના માલિક ની મિલીભગત હતી?

 

Related posts

સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા છે, હવે તેમની ખેર નહિ: હર્ષ સંઘવી

Ahmedabad Samay

અમદાવાદના અસારવા વિસ્તારમાં સાધુના વેશમાં છુપાયેલા હવસ ખોરનો પર્દાફાશ

Ahmedabad Samay

નવસારી: ચીખલીમાં RTI એક્ટિવિસ્ટની હત્યા મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી, મુખ્ય આરોપી હાલ પણ ફરાર!

Ahmedabad Samay

ગાંધીનગર: ઘાસ કાપવાનું મશીન ખરીદી રૂ. 3.38 લાખના આપેલા બે ચેક રિટર્ન થતા વેપારી સાથે છેતરપિંડી, 3 સામે ફરિયાદ

Ahmedabad Samay

નિકિતા તોમરને ન્યાય મળી રહે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રીને આવેદન પત્ર અપાયું.

Ahmedabad Samay

સુરત ના કતારગામ વિસ્તાર માં પતિએ પત્ની ને જીવતી સળગાવી દીધી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો