“દ્વારકા માં ભગવાનનો સાક્ષાત્કાર ભક્તો ને મળ્યો ચમત્કારી નજારો જોવા મળ્યો હતો, ગત રાતે પુરજોશમાં વરસાદ વરસી રહ્યો હતો વિજળીના જાણે તાંડવઃ કરી રહી હોય એમ પડી રહી હતી. ગત રાત્રે દ્વારકા મંદિર પર વિજળી પડતા દ્વારકાધીશ ની ધજા પર વીજળી પડી અને જાણે જગતના તાતે તે વીજળી પોતાના અંદર સમાવી લીધી હોય તેવો અદભૂત નજારો જોવા મળ્યો હતો.
આ વીજળી એટલી ભયંકર હતી કે જો આ વીજળી અન્ય કોઈ જગ્યાએ પડત તો તે જગ્યા તહેશ નહેશ થઇ જાત કેટલાય જણાને જીવ ગુમાવું પડત. પરંતુ દ્વારકાધીશએ વીજળી પોતાના અંદર સમાવી ભગતોના પ્રાણ બચાવી લીધા હતા.

