June 22, 2026
ગુજરાત

અમદાવાદ શહેરના ૧૦ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરવામાં આવી

પોલીસ કમિશ્નર સંજય શ્રિવાસ્તવ દ્વારા અમદાવાદ શહેરમાં  ૧૦ પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે . જેમાં દાણીલીમડા, કારંજ, સાયબર ક્રાઇમ, વિશેષ શાખા, વસ્ત્રાપુર, શહેર કોટડા, ઇસનપુર, એસ.ઓ.જી, ગોમતીપુર અને કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટરની પોલીસ કમિશ્નર દ્વારા બદલી કરવામાં આવી છે .

અમદાવાદ શહેરના 10 પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરવામાં આવી છે.

પી. આઇ. એમ. એમ. લાલીવાલાની દાણીલીમડા પોલીસ સ્ટેશનમાંથી કારંજ પોલીસ સ્ટેશનમાં બદલી.

પી.આઇ.  ડી.વી. તડવીની  કારંજ પોલીસ સ્ટેશનમાંથી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી.

સાઇબર ક્રાઇમના પી.આઇ. આર.જે. ચૌધરીની દરિયાપુર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી.

વિશેષ શાખામાંથી પી.આઇ. એસ.જી ખાંભલાની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પી.આઇ. આર. એમ. સરોદેને સાઇબર ક્રાઇમ ખાતે બદલી કરવામાં આવી.

શહેરકોટડા પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.જે. રાજપૂતને એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી.

ઇસનપુર પોલીસ સ્ટેશનના પી.આઇ કે.બી. સાંખલાની શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી.

એસ.ઓ.જી.માંથી પી.આઇ કે.જે. ઝાલાની વાસણા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી.

ગોમતીપુર પોલીસ સ્ટેશનના પી.આઇ. સી.બી. ટંડેલની ક્રાઇમ બ્રાન્ચમાં બદલી કરવામાં આવી.

કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પી.આઇ. જે. કે. રાઠોડને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

New up 01

Related posts

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી દ્વારા યુવા બાબતો અને રમત મંત્રાલયના સહયોગ સાથે યુવા એજન્ડાનું અનાવરણ કરાયું

Ahmedabad Samay

અસંગઠિત શ્રમિકો માટે આર્શિવાદ રૂપી ત્રણ વર્ષથી બંધ “ અન્નપૂર્ણા યોજના ” શ્રમિકોના વિશાળ હિતમાં શરૂ કરવા કામદાર કર્મચારી કોગ્રેસનાં કો – ઓડીનેટર શ્રી જ્યોર્જ ડાયસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

લાંબા રૂટની બસોમાં ઉપલબ્‍ધ ઓનલાઈન બુકિગની સુવિધા હવે પસંદગીની લોકલ બસ સેવાઓમાં પણ શરૂ કરવામાં આવી

Ahmedabad Samay

PM નરેન્દ્રભાઈ મોદીના શાસનને ‘ ૧૨ વર્ષ અવિરત વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ‘ અભિયાન અન્વયે આજે રાજ્યભરમાં વિવિધ મંદિરોમાં મહાઆરતી યોજાશે

Ahmedabad Samay

રાજ્‍યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્‍લાદેશીઓ સામે કાર્યવાહી શરૂ, એક જ રાતમાં ૧૦૦૦ બાંગ્લાદેશીઓ પકડાયા

Ahmedabad Samay

માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયાનું દાન ધૈર્યરાજના પિતાના ખાતામાં આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો