May 15, 2026
ગુજરાત

કોરોનાના વધતા કેસને ધ્‍યાનમાં રાખી આવતીકાલે કોવિડના આકરા નિયંત્રણો અને નવી ગાઇડલાઇન્‍સ બહાર પાડે તેવી શક્‍યતા

ગુજરાત સરકાર કોરોનાના વધતા કેસને ધ્‍યાનમાં રાખી આવતીકાલે કોવિડના આકરા નિયંત્રણો અને નવી ગાઇડલાઇન્‍સ બહાર પાડે તેવી શક્‍યતા છે.

રાજ્‍ય સરકાર જે નવા નિયમો બહાર પાડશે તેમાં આકરા સોશ્‍યલ ડિસ્‍ટેન્‍સીંગના નિયમો, પ્રાઇવેટ ઓફિસના સ્‍ટાફની ગાઇડલાઇન્‍સ, રેસ્‍ટોરન્‍ટ અને હોટલ, જીમ, ક્‍લબ, કોચિંગ ક્‍લાસિસ, રીટેઇલ દુકાનો વગેરે માટેના નવા ટાઇમીંગ એટલે કે નવા સમયની જાહેરાત કરે તેવી શક્‍યતા છે.

જો કોરોનાનો વિસ્‍ફોટ થાય તો વિકેન્‍ડ કર્ફયુ પણ વિચારણા હેઠળ હોવાનું ટોચના વર્તુળો જણાવી રહ્યા છે. રાજ્‍યના મહાનગરોમાં રાત્રિ કર્ફયુ સહિતના કેટલાક કડક નિયમો લાગુ થાય તેવી શક્‍યતા છે. રાત્રિ કર્ફયુ ૧૧ને બદલે ૯થી અમલી બને તેવી પણ શક્‍યતા છે. એટલુ જ નહીં, લારી-ગલ્લા, શોપિંગ કોમ્‍પલેક્ષ-દુકાનો વગેરે ૮ કે ૯ વાગ્‍યા સુધી જ ચાલુ રાખવાની મંજૂરી મળે તેવી શક્‍યતા છે.

હાલ રાત્રિના ૧૧થી સવારના ૫ વાગ્‍યા સુધીનો કર્ફયુ છે. સરકાર નવી એસઓપી બનાવી રહી છે. રાજયમાં કોરોના તેજ ગતિથી વધી રહ્યો છે. છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જેને લઇને રાજય સરકારે કોરોનાની સ્‍થિતિ મુદ્દે સમીક્ષા કરવા ઉચ્‍ચસ્‍તરીય બેઠક બોલાવી છે. મુખ્‍ય સચિવની અધ્‍યક્ષતામાં બેઠક બોલાવી છે  જેમાં કોરોનાને કાબૂમાં લેવા માટે શું કરવુ તે અંગે તમામ પાસાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

New up 01

Related posts

સી.આઇ.એસ.એફ. ના કમાન્ડર શ્રી પંકજ કુમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું

Ahmedabad Samay

પરિમલ એક્ઝોટિકાના બિલ્ડરે રહીશો સાથે કરી મોટી છેતરપીંડી, નિયમોનો પણ કર્યો ઉલ્લંઘન

Ahmedabad Samay

ગુજરાત સરકારનો એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ આખરે શરૂ.

Ahmedabad Samay

અમદાવાદના નવા મેયર તરીકે પ્રતિભા જૈને નિમણુંક કરવામાં આવ્યા

Ahmedabad Samay

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગ્રાહકની ફરિયાદ બાદ પ્રહલાદનગરનું મેકડોનાલ્ડ્સ આઉટલેટ નિયમના ઉલ્લંઘન બાદ સીલ કરી દેવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં મિત્રતા કેળવી લોકો સાથે 19.49 લાખની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો