શહેરકોટડાના પીઆઈ શ્રી કે.બી.સાંખલા ઘ્વારા આજરોજ ૨૦૦ જરૂરિયાતમંદ બાળકોને શહેરકોતટડા પોલીસ સ્ટેશનમાં ચોપડા વિતરણનું કરવામાં આવ્યું હતું. જેમાં સામાજિક કાર્યકરોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સામાજીક કાર્યકર્તા અને વકીલ શ્રી રાજેશ સોલંકી દ્વારા પોલીસના આ સુંદર કામગીરી બદલ પી.આઇ શ્રીનો શાલ ઓઢાવી સન્માન કર્યું હતું
પોલીસ સ્ટેશનમાં બાળકોને હળવાશ રહે તેમાટે પોલીસકર્મી દ્વારા આખા પોલીસ સ્ટેશનની માહિતી આપી હતી અને બાળકોએ પોતે કઈ કઈ બાબતની કાળજી લેવી ભવિષ્યમાં આગળ વધવા શુ કરવું વગેરે માહિતી આપી હતી.
વધુમાં આ કાર્યક્રમને સફળ બનાવવા એ.સી.પી. શ્રી ઘાંઘલીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. સાથે કોરોનાની મહામારી સમયે જે લોકોએ વિસ્તારમાં સારી કામગીરી કરી તેમનું સન્માન કરવામાં આવ્યું.
વકીલ શ્રી રાજેશ સોલંકી દ્વારા સ્થાનિક કાર્યકરો જે આ કાયૅમાં જોડાઈ પ્રોગ્રામને સફળ બનાવ્યો તે તમામ કાર્યકર્તા તેમજ પી,આઈ,સાહેબ નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો
