March 26, 2026
Other

રાજસ્થાન યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સ્વ. શ્રી સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

આજે રાજસ્થાન યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સ્વ. શ્રી સુખદેવસિંહ ગોગામેડી અને તેમની સાથેના નિર્દોષ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉપરાંત, તેમના ઘાયલ સુરક્ષા કર્મચારીઓના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરવામાં આવી હતી. જેમાં સમાજના તમામ ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી અને તેમના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

આ કાયરતાપૂર્ણ બનાવ અંગે જાહેર નિંદા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને સરકાર આ જઘન્ય ગુનાના કાયર ગુનેગારોને વહેલી તકે કડકમાં કડક સજા આપે તેવી માંગ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.


સાથે જ ઉપસ્થિત આગેવાનોએ સુખદેવસિંહ અમર રહેના નારાથી આકાશ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે સામાજિક આગેવાનો ભવાનીસિંહ શેખાવત, મહિપાલસિંહ ચૌહાણ, અનિલસિંહ સિસોદિયા, અતુલ મિશ્રા, ધર્મેન્દ્ર અરોરા, તેજસિંહ કુમ્પાવત, મહાવીરસિંહ જાદૌન, ઈન્દરસિંહ ભાટી, રાકેશસિંહ તોમર, હર્ષ પંડ્યા, અર્જુનસિંહ પંથેડી, સંજયસિંહ રાજપૂત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. , જીતેન્દ્રસિંહ ઠાકુર, અજય માલી, શિવનારાયણ ગર્ગ, પ્રવીણ ગેહલોત, દિપક સાંખલા, અશોક વ્યાસ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર કચ્છ ભૂજ ના માધાપરમાં શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવની ઉત્સાહભેર તૈયારીઓ શરૂ

Ahmedabad Samay

ડીસાના વતની લોકપ્રિય અને નિર્ભિક પારદર્શી કલમપ્રહરી હાર્દિક હુંડિયાનું સફળ પગલું

Ahmedabad Samay

નિશા ચેતનભાઈ રાજપૂતએ  રેસલિંગ ફેડરેશન કપ (સિનિયર વર્ગ) માં બ્રોન્ઝ મેડલ જીત્યો

Ahmedabad Samay

માહી ગ્રુપના ખજાનચીના લાડકા દીકરાના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકાર્યોના આયોજન કરાયા

Ahmedabad Samay

નિર્મલા સીતારમણે રજૂ કરેલા તેમના નવમા બજેટમાં મધ્યમ વર્ગ અને પગારદાર કરદાતાઓ માટે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો

Ahmedabad Samay

આંધ્ર પ્રદેશના વિશાખપટ્ટનમ આ ઝેરી વાયુ લીકેજ થતા ૧૦ ના મોત, અનેક ની હાલત ગંભીર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો