June 25, 2026
ગુજરાત

એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશમાં જીવ ગુમાવનાર સ્વ. રાજેન્દ્રભાઈ પાટનકરના ધર્મ પત્નીને આજ રોજથી આજીવન સુધી પેંશન ચાલુ કરવામાં આવી,

GISF ના જવાન અને અમદાવાદ સમયના તંત્રી શ્રી વિશાલ પાટનકરના પિતા સ્વ. રાજેન્દ્રભાઈ પાટનકરના ધર્મ પત્નીને આજ રોજથી તેમની હયાતી સુધી પેંશન ચાલુ કરવામાં આવી,

અમદાવાદમાં બનેલી સૌથી મોટી ઘટના એટલે AI171 ફ્લાઇટ ક્રેશ જે અમદાવાદ અને ગુજરાતમાં યાદગાર ઘટના બની હતી , જેને લીધે ઘણા મુસાફરો અને પ્લેન ક્રેશ વાળા સ્થાન પર નોકરી પર ફરજ બજાવતા અને ત્યાંથી પસાર થતા રાહદારીઓના પરિવારે પોતાના સભ્યોને ગુમાવ્યા હતા,

આ ઘટનામાં અતુલમ-૪ માં GISF માં ફરજ બજાવતા રાજેન્દ્રભાઇ પાટનકર પણ તે ઘટનાના શિકાર બનેલા હતા જેમનું સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન દુઃખદ અવસાન પામ્યા હતા, તેમના અવસાન થી તેમના પરિવારજનો અને GISF ના સ્ટાફમાં દુઃખની લાગણી પ્રસરી હતી, GISF દ્વારા તેમને ગાર્ડઓફ ઓનર એનાયત કરવામાં આવ્યું હતું અને સન્માન આપવામાં આવ્યું હતું,

GISF ના અધિકારી ઠાકુર સાહેબ, મારૂ સાહેબ, મિશ્રા સાહેબ, હિતેશ વાળનંદ અને ESIC ના અધિકારી શ્રી સોલંકી સાહેબ અને ધવલભાઇના સતત મહેનત  બાદ આજ સ્વ.રાજેન્દ્ર પાટનકર ના ધર્મ પત્ની ને ESIC માંથી આજીવન પેંશન શરૂ કરવામાં આવી છે. રાજેન્દ્ર પાટનકરના પરિવાર તરફે ESIC અને GISFના અધિકારીઓ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related posts

અમૂલ સાથે ઓછા પૈસામાં બિઝનેસ કરવાની સુવર્ણ તક

Ahmedabad Samay

૨૦૧૦ પહેલાં ઇસ્યુ થયું હોય તો લાયસન્સ રિન્યુ કરાવવા કે ડુપ્લીકેટ માટે આરટીઓ સુધી નહીં જવું પડે

Ahmedabad Samay

અમદાવાદમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદના એપીએમસી-માર્કેટ યાર્ડ ખાતે યોજાશે

Ahmedabad Samay

કોરોનાના વધતા કેસને ધ્‍યાનમાં રાખી આવતીકાલે કોવિડના આકરા નિયંત્રણો અને નવી ગાઇડલાઇન્‍સ બહાર પાડે તેવી શક્‍યતા

Ahmedabad Samay

ટેલિફોન પર જ પ્રજાના કામ કરતા બાપુનગર વોર્ડના કાઉન્સિલર શ્રી પ્રકાશ ગુર્જરજીનો જનતાએ આભાર વ્યકત કર્યો

Ahmedabad Samay

ગુજરાત સ્ટેટ રેસલિંગ દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો