June 27, 2026
ગુજરાતધર્મ

અંબાજીના પવિત્ર પ્રાંગણમાં ઈતિહાસ સર્જાયો હતો. 1111 જેટલી બાળ કન્યાઓના પૂજન કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવાયો

અંબાજીના પવિત્ર પ્રાંગણમાં ઈતિહાસ સર્જાયો હતો. જેમાં 1111 જેટલી બાળ કન્યાઓના પૂજન કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવાયો હતો. આટલી મોટી સંખ્યામાં કન્યાઓના પુજનની ઘટના સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત નોંધાતા વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. હિંદુ શાસ્ત્રો મુજબ કુંવારી કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં 1111 કન્યાઓનું પૂજન કરીને તેમના આશિર્વાદ મેળવાયા હતા.
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) અને બનાસકાંઠા બ્રહ્મસમાજની ટીમ અને અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આજે અંબાજી મંદિરના ચાચર ચોકમાં એક અવિસ્મરણીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માતાજીના પ્રાંગણમાં બાળ કન્યાઓના પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

1111 થી વધુ કન્યાઓનું ભવ્ય પૂજન કરીનેને વર્લ્ડ રેકોર્ડ રચવામાં આવ્યો હતો. અત્રેઉલ્લેખનીય છે કે, કુંવારિકા કન્યાઓને માતાજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. તેમનું પુજન કરવા તથા તેમને ભોજન કરાવવાનો અનોખો મહિમાં છે.
આ કાર્યક્રમમાં હિંદુ શાસ્ત્રો અનુસાર કુંવારીકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં 1111 કન્યા પૂજન કરીને તેમના આશીર્વાદ મેળવાયા હતા. આ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમમાં 1111 થી પણ વધારે બાળ કન્યાઓની પૂજા કરવામાં આવી હતી. કન્યાઓને આશીર્વાદ આપી તેમને ચણીયાચોળી તથા શ્રુંગારની કીટ ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત કન્યાઓના પૂજન બાદ તમામને ભોજન પણ કરાવાયું હતું.
આ આયોજનની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ નોંધ લેવામાં આવીહ તી. સમગ્ર ગુજરાતમાં અગાઉ આટલું મોટું કન્યા પુજન ક્યાંય પણ થયું નથી. જે ગુજરાત અને બનાસકાંઠા માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે અંબાજી ગ્રામ પંચાયતનાં સરપંચ કલ્પનાબેન દવેએ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા અપાયેલું સર્ટિફિકેટ સ્વિકાર્યું હતું.

Related posts

અમદાવાદમાં લુખ્ખા તત્વો બન્યા બેખોફ,ચાલુ ગાડીમાં બંદૂક બતાવતો વધુ એક વીડિયો થયો વાયરલ

Ahmedabad Samay

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ,સાંજે ૦૬:૩૦ સુધી થયાવત રહે તેવી સંભાવના

Ahmedabad Samay

અમરેલી સિવિલ હોસ્પિટલમાં પ્રતિ કલાક 15000 liter ઓક્સિજન ઓનલાઈન ઉત્પાદન થઈ શકે તેવા પ્લાન્ટ નુ કાલે “લોકાર્પણ” કરાશે

Ahmedabad Samay

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગ્રાહકની ફરિયાદ બાદ પ્રહલાદનગરનું મેકડોનાલ્ડ્સ આઉટલેટ નિયમના ઉલ્લંઘન બાદ સીલ કરી દેવામાં આવ્યું

Ahmedabad Samay

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિનું નવા નરોડામાં કાર્યલયનો ઉદ્ઘાટન

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો