March 29, 2026
ગુજરાત

આવ્યો ભાઇ આવ્યો જનતાનો તહેવાર આવ્યો, જનતાનો તહેવાર એટલે ઇલેક્શન

આપની આસપાસ અચાનક સાફસફાઇ થવા લાગે, ખાડા પડેલા રસ્તાનું સ્માર કામ ચાલુ થઇ જાય, ગટર ભરવાની સમસ્યા હલ થઇ જાય કે પછી પીવાના પાણીની સમસ્યા નો હલ આવી જાય તો સમજી જવું કે……………… ભાઇ આવી ગયો છે જનતાનો તહેવાર

ભારતીય સંસ્કૃતિમાં ઘણા બધા તહેવાર છે જુદી જુદી જાતિ ઓના જુદા જુદા તહેવાર હોય છે પરંતુ ભારત દેશના માત્ર એક તહેવાર એવો છે જે ભારત દેશમાં કહ્યા વગર લોકોના કામ થતા હોય છે અને એ છે ઇલેક્શન .
ઇલેક્શનએ નેતા માટે તો હાર જીત અને સત્તા મેળવવાનો તહેવાર છે પરંતુ જનતા માટે તો તહેવાર છે કારણ કે ઇલેક્શન આવતાજ જનતાના બાકી રહેલા કામ, કાચબાની ગતિએ ચાલતા કામ સસલાની ગતિ પકડી લેછે અને રોકેટના ગતિએ કામ ચાલુ થઇ જાય છે.

ઇલેક્શન આવતા જ અંધારામાં ગુમ થઇ ગયેલ નેતાઓ અંધેરનગરી માંથી બહાર આવી ફરી દેખાવા લાગે છે, દર વર્ષે દિવાળીના તહેવાર માં જેમ આપણે સમય કાઢીને ઘરની સાફ સફાઇ કરતા હોય છે તેજ રીતે નેતાજી ઇલેક્શન સમયે ૦૫ વર્ષમાં એક વાર સમય કાઢીને જનતાના કામ કાજ કરવા લાગે છે, ખાડા પડેલા રોડના સ્મારકામ ચાલુ થઇ જાય છે, પાણીની સમસ્યા દૂર થઇ જાય છે, રસ્તા, ચાલીઓ, સોસાયટીઓ. પર સાફ સફાઇનું કામ ચાલુ થઇ જાય છે,

હંસપુરા માર્ગ પર દહેગામ માર્ગ પર નરોડા સ્મશાન તરફનો માર્ગ એટલી ખરાબ હાલતમાં હતો કે ગાડી ૩૦ની ઝપીડ કરતા વધારે ચલાવીજ ન શકાય તે માર્ગે  ઇલેક્શન આવતા પાક રસ્તાનો કામ હાથ ધરવામાં આવ્યું પણ ઇલેક્શનમાં નેતાજી એટલા ખુશ થઇ ગયા કે પાક રસ્તા પર ફરી નવો રસ્તો બનાવવાનું કામ કરી નાખ્યું , બીજું ભાર્ગવરોડ થી કુબેરનગર બાંગ્લા સુધી નવો માર્ગ સસલાની ગતિએ ઝડપ પકડી ડિવાઈડર નાખવાનો કામ ચાલુ થયું કરાયું

 

ઇલેક્શનમાં તહેવારમાં જનતામાં તમામે તમામ કામ પૂર્ણ થઇ જાય છે માટે તો ઇલેક્શન ને જનતાનો તહેવાર કહેવામાં આવે છે

Related posts

અમદાવાદ: અમિત શાહે અમદાવાદીઓને આપી મોટી ભેટ, 97 કરોડના સનાથલ ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું, 70 હજાર વાહનચાલકોને મળશે રાહત

Ahmedabad Samay

અમદાવાદના મેઘાણીનગરમાં એક યુવાનની જાહેરમાં કરાઇ હત્યા

Ahmedabad Samay

વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ દ્વારા અરવિંદ મિલ્સ ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

કુબેરનગરમાં કેવિન નામનું બાળક ગંભીર બીમારીથી પીડાઇ રહ્યો છે,સારવાર માટે સમાજ પાસે માંગી મદદ

Ahmedabad Samay

દાનપાત્ર સંસ્થા દ્વારા અમદાવાદ ખાતે ફૂટપાથ રહેતા નિરાધાર પરિવારોને કપડાં આપીને મદદ કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો