June 23, 2026
ગુજરાતદેશ

બેંક ઓફ બરોડા કર્મચારીઓના એક વર્ગ માટે કાયમી વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવવા પર વિચાર કરી રહી છે.

કોરોના કાળમાં મોટાભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા માટે કહી રહી છે. કોરોનાના વધતા જતાં સંક્રમણને જોતા લોકો પણ ઘરેથી કામ કરવાને જ વધારે પ્રાધાન્ય આપી રહ્યાં છે. એવામાં દેશની સરકારી બેંક બેંક ઑફ બરોડાપણ આ દિશામાં મોટો નિર્ણય લઈ શકે છે

 

બેંક ઑફ બરોડામાં તાજેતરમાં જ વિજયા બેંક અને દેના બેંકનો વિલય કરવામાં આવ્યો છે. બેંકે કોરોના બાદ આ વર્ક ફ્રોમ હોમની રણનીતિ બનાવવાના સૂચન માટે મેનેજમેન્ટ કન્સલટન્સી ફર્મ મેકિન્સે એન્ડ કંપનીની નિમણૂંક કરી છે

આ અંગે બેંક ઑફ બરોડાના CEO સંજીવ ચઢ્ઢાએ જણાવ્યું કે, બેંક  આ પ્રકારની રણનીતિ પર વિચાર કરી રહી છે. મહામારી  બાદ બેંક પોતાના કર્મચારીઓ અને તેમના સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં રાખીને કામ કરે.

ચઢ્ઢાએ બેંકના ત્રીજા ત્રિમાસિક આર્થિક પરિણામોની જાહેરાત કરતા જણાવ્યું કે, નાણાંકીય વર્ષ 2021માં ત્રીજા ત્રિમાસિકમાં બેંક ઑફ બરોડાને (Bank Of Baroda) 1061.1 કરોડ રૂપિયાનો નફો થયો છે. જ્યારે નાણાંકીય વર્ષ 2020ના ત્રીજા ત્રિમાસિકમાં બેંકને 1407 કરોડ રૂપિયાનું નુક્સાન થયું હતું.

ઓક્ટોબર મહિનામાં જ બેંકે પોતાના વર્ક ફોર્સને 50-50માં વિભાજિત કરીને વર્ક ફ્રોમ હોમની નવી વ્યવસ્થા શરૂ કરી હતી. બેંક ઑફ બરોડાના કુલ વર્કફોર્સના 50-50 ભાગોમાં વિભાજિત કરીને અડધા કર્મચારીઓને આગામી 5 વર્ષ માટે ઘરેથી કામ કરવાની તૈયારી હતી. જ્યારે અડધા કર્મચારીઓને બેંકમાં આવીને કામ કરે, તેવો નિર્ણય લેવાયો હતો.

Related posts

અભિનેતા તેજા સજ્‍જાની ફિલ્‍મ ‘હનુમાન’એ દુનિયાભરમાં ખૂબ ચાહના મેળવી

Ahmedabad Samay

સાધુસંત અને ગૌ હત્યા જેવા સંવેદનશીલ મુદ્દા પર પહેલી વાર ફિલ્મ બનાવવામાં આવી

Ahmedabad Samay

કેટલાક રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં, હિન્‍દુઓ પોતે પણ લઘુમતીમાં આવે છે

Ahmedabad Samay

સાબરમતી રિવરફ્રન્‍ટ ઈવેન્‍ટ સેન્‍ટર ખાતે ૧૩ નવેમ્‍બરથી ૧૬ નવેમ્‍બર દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્‍તરે માન્‍યતા ધરાવતાં ઈન્‍ટરનેશનલ ફૂડ ફેસ્‍ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્‍ટ’નું આયોજન કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

દેશના પ્રખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના સાગરિતો EDની રડાર પર

Ahmedabad Samay

વડાપ્રધાન મોદી સોમનાથ અમળત પર્વમાં આજે સહભાગી થયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો