March 25, 2026
દેશ

રાજસ્થાનમાં ૭૨ કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ અપાશે: અશોક ગેહલોત

ગુજરાત સહિત આખા ભારતમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આવામાં કોરોનાના નવા સ્ટ્રેનેના કારણે લોકોમાં વધુ ફફડાટ છે. ત્યારે રાજસ્થાનની ગેહલોત સરકારે પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ લીધો છે. રાજસ્થાન સરકારે ૭૨ કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ કરી શકશે તેવો નિયમ બનાવ્યો છે

રાજસ્થાન સરકારે પોતાના રાજયમાં કોરોના વાઇરસને અટકાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજસ્થાન આવતા તમામ પ્રવાસીઓ માટે કોરોના રિપોર્ટ ફરજિયાત કરાવવાનો રહેશે. જેથી ગુજરાતીઓએ રાજસ્થાન કામ કે ફરવા માટે જવું હોય તો પહેલા કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવવાનો રહેશે. રાજસ્થાન સરકારના આ નિર્ણયના પગલે અરવલ્લીની ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ પર પ્રવાસીઓ મૂંઝાયા છે.

રાજસ્થાન સરકારે ૭૨ કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ કરશે તેવો નિયમ બનાવ્યો છે. ગુજરાતીઓેને હવે RT-PCR રિપોર્ટ વગર રાજસ્થાન રાજયમાં પ્રવેશ નહી મળે.

આ માટે રાજસ્થાન સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ પર તપાસ શરૂ થશે. રાજસ્થાન સરકારે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, હરિયાણા, મધ્યદેશ રાજયોના વાસીઓ માટે નિર્ણય કરાયો છે.

Related posts

રાજસ્થાનમાં શ્રદ્ધા વોલકર જેવો ક્રૂરતા ભર્યો કિસ્સો આવ્યો સામે, લાશના કર્યા ૧૦ ટુકડા

Ahmedabad Samay

સાજણ પ્રકાશને ભારત તરવું ફેડરેશન ઓફ ઇન્ડિયાએ 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું

Ahmedabad Samay

ભારતની જીત છતાં સૂર્યકુમાર યાદવે ટ્રોફી ઉપાડ્યા વિના એશિયા કપ સમાપ્ત થયો,પાકિસ્તાનના મંત્રી મોહસીન નકવી પાસેથી એશિયા કપ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો

Ahmedabad Samay

“પરીક્ષા પે ચર્ચા”૧લી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે પરીક્ષા પર કરશે ચર્ચા

Ahmedabad Samay

પુલવામા જેવો મોટો હુમલો ટળ્યો, સેનાએ આંતકીઓ નો પુલવામા જેવો અટેક ને નાકામ કર્યો

Ahmedabad Samay

જમ્મુમાં સુરક્ષાદળને મોટી સફળતા, હિજબુલના મોટા કામન્ડરનો કર્યો ખાતમો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો