March 24, 2026
Other

મીનીલોકડાઉન લંબાવા વિશે સાંજે ચર્ચા,કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ અને ટાસ્કફોર્સે ૧૫ દિવસના લોકડાઉનની ભલામણ કરી

ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસ અને મોતના આંકડાથી ચિંતિત રાજ્ય સરકારે ગત ૨૮મીએ રાજયના ૨૯ શહેરોમાં મીની લોકડાઉન લાગુ કર્યુ હતુ જે અંતર્ગત દુકાનો, બજારો, મોલ, સિનેમાઘર, સ્વીમીંગ પૂલ, જીમ, શોપિંગ સેન્ટરો વગેરે બંધ રાખવા અને ખાનગી તથા સરકારી કચેરીઓમાં ૫૦ ટકાની હાજરીની જાહેરાત કરી હતી. હોટલ અને રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન લેવાની મનાઈ ફરમાવવામાં આવી છે માત્ર પાર્સલ સેવા જ ચાલુ છે. હજુ કોરોના શાંત પડયો ન હોવાથી રાજ્ય સરકાર આ બધા નિયંત્રણો હજુ લંબાવે તેવી શકયતા છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના ૨૯ શહેરોમાં લાગુ રાત્રીનો કર્ફયુ પણ ચાલુ જ રહે તેવી શકયતા છે. રાત્રીના ૮ થી સવારના ૬ સુધીનો કર્ફયુ હાલ અમલી છે જેનુ કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યુ છે.

મળતા અહેવાલો મુજબ કેન્દ્ર સરકારે લોકડાઉન સહિતની બાબતોનો નિર્ણય લેવાની સત્તા રાજ્ય સરકારોને આપી હોવાથી હવે રાજ્યો પોતપોતાની રીતે નિર્ણય લઈ રહ્યા છે. આજે સાંજે કોર કમિટીની મીટીંગમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી મહત્વના નિર્ણયો લેવામાં આવે તેવી શકયતા છે. અત્રે એ નોંધનીય છે કે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ અને ટાસ્કફોર્સે ૧૫ દિવસના લોકડાઉનની ભલામણ કરી છે.

Related posts

અબુ ધાબીના પ્રથમ હિન્‍દુ મંદિરનું વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્તે ઉદ્‍ઘાટન કર્યું

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પરપ્રાંતીય મુદ્દે નકારત્મક ટિપ્પણી બદલ ભાજપ અને કોંગ્રેસ ના ધારાસભ્યો ના નિવેદન નો વિરોધ કરવામાં આવ્યું

Ahmedabad Samay

ગાંધીનગર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી

Ahmedabad Samay

પદ્મિનીબા વાળાએ રાજકોટના આશાપુરા મંદિરે બેસી અન્નનો ત્યાગ યથાવત

Ahmedabad Samay

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો