March 26, 2026
દેશ

આ માહિતી અચૂક લોકો સુધી પહોંચાડો,જાણો બ્લેક ફંગસ ઈન્ફેકશનની તમામ માહિતી,સાવચેતી અને લક્ષણો

કોરોનાવાયરસની બીજી લહેરમાં બ્લેક ફંગસ નામની નવી બીમારીનો જન્મ થયો છે. વ્યકિત કોરોનાથી રિકવર થઈ જાય પછી તે આ ઈન્ફેકશનનો શિકાર થઈ શકે છે. સાદી ભાષામાં તેને બ્લેક ફંગસ કહેવામાં આવે છે જયારે વૈજ્ઞાનિક ભાષામાં તેને મ્યુકોરમાઈકોસીસ કહેવામાં આવે છે. આ એક ફંગલ લોગ છે, જે સામાન્યપણે તે દર્દીઓમાં જોવા મળે છે જેમને હોસ્પિટલમાં સારવાર દરમિયાન વેન્ટિલેટર અથવા ઓકિસજન પર રાખવામાં આવે છે અથવા લાંબા સમય સુધી સ્ટેરોઈડ આપવામાં આવે છે.

શા માટે થાય છે બ્લેક ફંગસ ?
જો સમયસર સારવાર કરવામાં ના આવે તો આ સંક્રમણ ઘાતક સાબિત થઈ શકે છે. પરંતુ વધારે ચિંતા કરવાની જરૂર નથી, માત્ર સાવધાની વર્તવાની જરૂર છે. ડેન્ટિસ્ટના જણાવ્યા અનુસાર, ત્રણ સરળ ઓરલ હાઈજીનનું પાલન કરવાથી તમે બ્લેક ફંગસ સહિત અન્ય ઈન્ફેકશનની સંભાવનાઓને પણ ઓછી કરી શકો છો. કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓને કારણે દર્દીઓની રોગપ્રતિકારક ક્ષમતા દ્યટી જાય છે. આ સિવાય બ્લડ શુગર લેવલમાં પણ વધારો જોવા મળે છે. આના કારણે ફંગસ પણ વધે છે.

બ્લેક ફંગસના લક્ષણો.

 મોઢા પર સોજો, નાકમાંથી કાળા રંગના પ્રવાહીનું નીકળવું, આંખોની નીચે સોજો આવવો, તાવ આવવો, ગભરામણ થવી, માથાનો દુખાવો અને દ્રશ્ય ક્ષમતા ઓછી થવી વગેરે તેના લક્ષણો છે.

શું ધ્યાન રાખવું

કોરોનામાંથી રિકવર થયેલા લોકોને થોડા સમય માટે આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ કોરોનામાં આપવામાં આવેલી દવાઓ અને સ્ટેરોઈડને કારણે મોઢામાં બેકટેરિયા અને ફંગસ વધે છે. તેનાથી સાઈનસ, ફેફસા તેમજ કિડનીમાં સમસ્યા સર્જાઈ શકે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કોરોના પછી મોઢાંની સફાઈ રાખવી અત્યંત જરૂરી છે. આ માટે દિવસમાં બે અથવા ત્રણ વાર બ્રશ કરવું જોઈએ.

કોરોનાની સારવાર લીધા પછી ટેસ્ટ નેગેટિવ આવે એટલે સૌપ્રથ્મ ટૂથબ્રશ બદલી કાઢો અને નિયમિત કોગળા કરવાની આદત અપનાવી લો.

Related posts

સટ્ટા બજારમાં નવો ટ્રેન્ડ, હવે કોરોના કેસ પર સટ્ટો

Ahmedabad Samay

ભારત સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના નિયમોમાં કર્યા મોટા ફેરફાર, ૦૧ એપ્રિલથી થશે નિયમો લાગુ

Ahmedabad Samay

CBSE ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક પરીક્ષા લેશે

Ahmedabad Samay

ભારતીય સૈનિકો નો પાક.ને વળતો જવાબ, પાકિસ્તાન ની ૦૪ ચોકી ફૂંકીમાંરી

Ahmedabad Samay

હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાન આર્મીના ચીફ જનરલ અસીમ મુનીર હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં, હુમલામાં પ્રતિબંધિત આતંકી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદનો ઉપયોગ કરવામાં આવ્યો આવી રહ્યો,

Ahmedabad Samay

મથુરા અને કાશીમાં ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ માટે ટૂંક સમયમાં વિચારણા કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો