રાજ્ય કોર કમિટીની બેઠકમાં આરોગ્ય વિભાગ અને શિક્ષણવિદોની સલાહ બાદ 1 થી 5 ધોરણ પ્રાથમીક શાળામાં શરૂ થશે તેમ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કહ્યું છે. આ પહેલા કોલેજ પછી 10 થી 12 અને ગયા અઠવાડિયામાં 6,7,8 ખોલવામાં અમે સફળ રહ્યાં હોવાનું પણ શિક્ષણમંત્રીએ કહ્યું છે.
શાળામાં વાલીઓએ બાળકોને મોકલ્યા છે અને શિક્ષકો પણ બાળકોને ભણાવવાને લઇને ઉત્સાહિત છે. હવે પછીના તબક્કામાં કોર કમિટીની બેઠકમાં 1 થી 5 ધોરણ શાળાઓ દ્વારા શરૂ કરવાનું વિચારી રહ્યાનું શિક્ષણમંત્રીએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે આ મામલે આરોગ્ય અને શિક્ષણ વિદોની સલાહ બાદ અમે પ્રાથમીક શાળા શરૂ કરીશું.
