June 27, 2026
ગુજરાત

ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા, ગૃહ મંત્રી અમિત શાહ અને CM ભુપેન્દ્ર પટેલ ૧૪૬મી રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા

૧૪૬ મી રથયાત્રા પૂર્વે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ ગઈ કાલે જ મંદિરમાં પોહચી પૂજા અને આરતિવિધીનો લાભ લીધો હતો, આજે સવારે ૭ વાગે રથયાત્રા પહિંદવિધિ બાદ ભુપેન્‍દ્રભાઈ પટેલ તથા ગૃહમંત્રી દ્વારા ગુજરાતના તમામ નાગરીકોને અષાઢી બીજની શુભેચ્‍છા પાઠવી હતી.

ગુલાબીવઘામાં નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથ , ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગર ચર્યાએ નીકળ્‍યા તે પહેલા મંદિરમાં વહેલી સવારથી ધાર્મિક વિધિ શરૂ થયેલ, કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા મંગળા આરતી કરવામાં આવેલ. મુસ્‍લિમ સમાજના દ્વારા પણ રથ યાત્રામાં શાંતિ રહે તેવી દુવા માંગવામાં આવી હોવાનું અને સારંગપુરમાં મુસ્‍લિમ સમાજ દ્વારા તેલના ડબ્‍બા પ્રસાદ માટે આપ્‍યા હતા પોલીસ કમિશનર પ્રેમવિરસિહ, એડી.સીપી નીરજ બડ ગુજ્જરના માર્ગ દર્શન હેઠળ કોમી એકતા માટે અદભુત પ્રયાસ કરી ગૃહ મંત્રીએ જેની નોંધ લીધી તેવા ડીસીપી જયદીપસિહ જાડેજા દ્વારા જણાવાયું છે.એસીપી અજયસિંહ જાડેજા ટીમની જહેમત રંગ લાવી છે.

 

૪:૪૪એ ભગવાન જગન્નાથને ખીચડાનો ભોગ ધરાયો હતો. જગન્નાથ મંદિરના દ્વારે ભકતોની ભારે ભીડ જોવા મળી છે.

૫:૩૦એ ભગવાન જગન્‍નાથને રથમાં બેસાવડવામાં આવ્‍યા હતા. જેની ૫ મિનિટ બાદ બહેન સુભદ્રાને રથમાં બેસાડવામાં આવ્‍યા હતા. ૫:૫૦એ ભાઇ બલરામને પણ રથમાં બેસાડવામાં આવ્‍યા હતા. આ સાથે જ ૬:૪૫એ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ જગન્નાથ મંદિર આવી પહોંચ્‍યા હતા અને ૭ વાગ્‍યે મુખ્‍યમંત્રીએ પહિંદ વિધિ કરી રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.

Related posts

અમદાવાદમાં આજે અને કાલે બે દિવસ ધોધમાર વરસાદની આગાહી, રાજ્યભરમાં છે વરસાદી માહોલ

Ahmedabad Samay

આજનો મોદીજીનો કાર્યક્રમ:ગાંધીનગરથી દહેગામ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે.

Ahmedabad Samay

શ્રાવણ માસમાં ઇન્ટરનેટથી શિવજીની પૂજા કરશે હિન્દુ સેના

Ahmedabad Samay

અમદાવાદના નવા મેયર તરીકે પ્રતિભા જૈને નિમણુંક કરવામાં આવ્યા

Ahmedabad Samay

રમઝાનના દિવસે વોટર ડિસ્ટીબ્યુશન સ્ટેશન પરથી સવારે ૫.૩૦ વાહે સ્પેશિયલ પાણી પૂરવઠો અપાશે

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં રાજધાની એક્સપ્રેસ જેવું સુપરફાસ્ટ કામનું નામ કાઉન્સિલર રાજેન્દ્ર સોલંકી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો