March 24, 2026
Other

અમદાવાદમાં એક ખાસ કંકોત્રી મતદારોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદમાં એક કંકોત્રી મતદારોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ કોઈ લગ્ન કે માંગલિક પ્રસંગના આમંત્રણની કંકોત્રી નથી. પરંતુ આ કંકોત્રી છે લોકશાહીના મહાપર્વના આમંત્રણની. શહેરીજનોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને મોટી સંખ્યામાં મતદાન કરે તેવા ઉમદા હેતુ સાથે આ આમંત્રણ પત્રિકા રૂપી કંકોત્રી છપાવવામાં આવી છે.

ચૂંટણી પંચ અને શિક્ષણ વિભાગ દ્વારા અનોખી રીતે ચૂંટણી પ્રચાર માટે આવી કંકોત્રી છાપવામાં આવી છે. જેમાં લગ્નની કંકોત્રીની જેમ જ મતદાન કરવા માટે મતદારને આમંત્રણ આપવામાં આવ્યું છે. અમદાવાદના મતદારોને જાગ્રત કરવા માટે સ્વામીનારાયણ વિદ્યાલય મંદિર મેમનગરના વિદ્યાર્થીઓએ કંકોત્રી વહેંચી છે. સ્કૂલના વિદ્યાર્થીઓ શહેરની સોસાયટીઓમાં જઈને મતદારોને કંકોત્રી આપીને 7 મી મેના રોજ અચૂક મતદાન કરવા અપીલ કરી

Related posts

જીસીએસ હોસ્પિટલે અનોખી રીતે કરી વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ ની ઉજવણી

Ahmedabad Samay

હવે ગેઝેટ ડોક્યુમેન્ટમાં નામ-અટક કે જન્મ તારીખ બદલવા કે સુધારવુ થયું આશાન, જાણો સંપૂર્ણ પદ્ધતિ

Ahmedabad Samay

મેઘાણીનગરમાં બન્યો હિટ એન્ડ રન નો કેસ, બે મતવિસ્તારે લીધો સાત વર્ષના માસૂમ બાળકનો ભોગ, બે મતવિસ્તારના વિભાજનમાં આમ જનતાનો લેવાય છે ભોગ

Ahmedabad Samay

પ્રવીણ તોગડિયાએ હિન્દુઓને એકથી વધારે બાળકો પેદા કરવા માટે સલાહ આપી

Ahmedabad Samay

LRD ભરતી માટે લેવાય લેખિત પરીક્ષાનું પરિણામ થયું જાહેર

Ahmedabad Samay

હોળીની પૌરાણિક કથા, શા માટે ઉજવાય છે હોળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો