June 24, 2026
ગુજરાત

રથયાત્રાને લઇ ચાલતી અટકળોનો આવ્યો અંત,શરતો આધીન રથયાત્રા નીકળશે

New up 01

“અષાઢી બીજના રોજ અમદાવાદમાં યોજાતી પરંપરાગત રથયાત્રા કોરોનાકાળમાં યોજાશે કે નહિ ? તે બાબતની અટકળો ઉપર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયુ છે. આજે લાખો ભકતોની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અમુક શરતોને આધીન રથયાત્રા યોજવાની મંજુરી આપતા ભકતો ભાવવિભોર બની ગયા છે.

આજે ગાંધીનગર ખાતે યોજાયેલી કેબીનેટની મીટીંગમાં રથયાત્રા યોજવાને લીલીઝંડી આપવામાં આવી હતી. જો કે આ માટે કોરોનાની કેટલીક ગાઈડલાઈન્સનુ પાલન કરવાનુ રહેશે એટલુ જ નહી રથયાત્રાનો રૂટ પણ ટૂંકાવવામાં આવે તેવી પણ શકયતા છે.

આજે રથયાત્રાને મંજુરી મળી જતા હવે તે માટેની જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ જશે. આ વખતે ૧૨મીને સોમવારના રોજ આ રથયાત્રા નિકળશે. તે પૂર્વે પહિંદવિધિ કરવામાં આવે છે જેનુ પૂજન દર વર્ષે મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવે છે. આ વખતે પણ મુખ્યમંત્રી રૂપાણી દ્વારા આ વિધિ સંપન્ન કરવામાં આવશે. ૧૨મીએ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા શહેરની પરિક્રમા કરશે.

રથયાત્રા અંગેની સત્તાવાર વિગતો અને ગાઈડલાઈન્સ મોડેથી બહાર પડે તેવી શકયતા છે. રથયાત્રા દરમિયાન ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે. સીસીટીવી હેઠળ સમગ્ર રૂટ રહેશે.”

Related posts

વડોદરા: ગ્રાહક ફોરમનો સૌથી મોટો નિર્ણય, કહ્યું- મેડિકલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી નથી…

Ahmedabad Samay

ગુજરાતમાં કમળ ખીલ્યું,ડબલ એન્‍જીન સરકારનું સુત્ર વ્‍હેતુ મુકયુ હતું જેને લોકોએ વધાવી ભાજપને ખોબલે ખોબલે મત આપ્‍યા

Ahmedabad Samay

વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ સામે IPLના ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી,ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમશે

Ahmedabad Samay

ગોમતીપુરમાં મધરાત્રે તલવારથી કેક કાપીને બર્થડે ઉજવનારાની ધરપકડ

Ahmedabad Samay

શ્રી દિનેશ દેવલેકરે ગુડી પાડવા નિમિતે ગુડી બનાવી પૂજા કરી અને કોરોનાથી વિશ્વને મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી

Ahmedabad Samay

અમદાવાદ- ચાંદલોડીયામાં નવું ફાયર સ્ટેશન, નવા સ્ટાફ ક્વાર્ટર બનશે, 1007 લાખથી વધુના કામને એએમસીની મંજૂરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો