March 25, 2026
ગુજરાત

રથયાત્રાને લઇ ચાલતી અટકળોનો આવ્યો અંત,શરતો આધીન રથયાત્રા નીકળશે

New up 01

“અષાઢી બીજના રોજ અમદાવાદમાં યોજાતી પરંપરાગત રથયાત્રા કોરોનાકાળમાં યોજાશે કે નહિ ? તે બાબતની અટકળો ઉપર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયુ છે. આજે લાખો ભકતોની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અમુક શરતોને આધીન રથયાત્રા યોજવાની મંજુરી આપતા ભકતો ભાવવિભોર બની ગયા છે.

આજે ગાંધીનગર ખાતે યોજાયેલી કેબીનેટની મીટીંગમાં રથયાત્રા યોજવાને લીલીઝંડી આપવામાં આવી હતી. જો કે આ માટે કોરોનાની કેટલીક ગાઈડલાઈન્સનુ પાલન કરવાનુ રહેશે એટલુ જ નહી રથયાત્રાનો રૂટ પણ ટૂંકાવવામાં આવે તેવી પણ શકયતા છે.

આજે રથયાત્રાને મંજુરી મળી જતા હવે તે માટેની જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ જશે. આ વખતે ૧૨મીને સોમવારના રોજ આ રથયાત્રા નિકળશે. તે પૂર્વે પહિંદવિધિ કરવામાં આવે છે જેનુ પૂજન દર વર્ષે મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવે છે. આ વખતે પણ મુખ્યમંત્રી રૂપાણી દ્વારા આ વિધિ સંપન્ન કરવામાં આવશે. ૧૨મીએ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા શહેરની પરિક્રમા કરશે.

રથયાત્રા અંગેની સત્તાવાર વિગતો અને ગાઈડલાઈન્સ મોડેથી બહાર પડે તેવી શકયતા છે. રથયાત્રા દરમિયાન ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે. સીસીટીવી હેઠળ સમગ્ર રૂટ રહેશે.”

Related posts

ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે અમિતાભ બચ્ચન, રજનીકાંત અને સચિન અમદાવાદના મહેમાન બનવાના છે

Ahmedabad Samay

ગુજરાતમાં પ્રવાસે આવેલા વિદેશ મંત્રીએ નવી સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના વિપક્ષોના નિર્ણયને લઈને કહી આ વાત

Ahmedabad Samay

અમદાવાદ: મીઠાખળીમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, મનપાની ઉતારવાની કામગીરી વખતે અચાનક પડ્યું, બે મજૂર દટાયા

Ahmedabad Samay

નરોડાના SRP કેમ્પસના 3 બેરેક માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયાં 12 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરાયા, બે વિસ્તારો ઉમેરાયા

Ahmedabad Samay

ગાંધીનગરમાં ચ-6 સર્કલ પાસે બસ અને સ્કૂલવાન વચ્ચે બન્યો ગમખ્વાર અકસ્માત

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ઓઢવ વિસ્તારમાં બેડમિંટન સ્પર્ધાનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો