May 27, 2026
દેશ

બદલો તો આને કહેવાય,કુતરાઓએ વાંદરાના બચ્ચા ને માર્યું તો વંદરાઓ કુતરાના ૨૫૦ જેટલા બચ્ચાને માર્યા

મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માજલગામમાં વાંદરાઓ અને કૂતરાઓ વચ્ચેની લડાઈનો એક વિચિત્ર કિસ્સો આજકાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ, વાંદરાઓનું સમૂહ લગભગ ૨૫૦ કૂતરાઓને મારી ચૂક્યું છે. ગામના લોકોએ જણાવ્યું કે વાંદરાઓ બદલો લેવા માટે આવું કરી રહ્યા છે. ગામના લોકોના જણાવ્યા મુજબ, સૌપ્રથમ કૂતરાઓએ વાંદરાના એક બચ્ચાને મારી નાખ્યું હતું. જેથી નારાજ વાંદરાઓના સમૂહે કૂતરાઓને મારવાનું શરૂ કર્યું. વાંદરાઓ હવે કૂતરાઓને ખેંચીને લઈ જઈ રહ્યા છે અને આ કૂતરાઓને ધાબા અથવા વૃક્ષ પરથી નીચે ફેંકી રહ્યા છે.

ગામમાં દરરોજ કૂતરાના મોત વિશે જાણવા મળી રહ્યું છે. ત્યાં વાંદરાઓની સંખ્યા એટલી વધારે થઈ ગઈ છે કે ગામના લોકો ડરના કારણે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માજલગામમાં વાંદરાઓ અને કૂતરાઓ વચ્ચેની લડાઈ મામલે મહારાષ્ટ્રનો ફોરેસ્ટ વિભાગ પણ સક્રિય થઈ ગયો છે.

ગામના લોકોની ફરિયાદ બાદ નાગપુરની ફોરેસ્ટ ટીમે ૨ વાંદરાને પકડ્યા છે. વન્યજીવ વિભાગનું કહેવું છે કે ઝડપાયેલા આ બંને વાંદરાને પાસેના કોઈ જંગલમાં છોડી મૂકાશે. વન્ય જીવ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ઘણાં દિવસોથી આ વાત અંગેની ફરિયાદ મળી રહી હતી કે બે વાંદરા, ગલુડિયાઓને નિશાન બનાવી રહ્યા છે. જ્યારે આ વાંદરાઓને પકડવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે તેઓ બચી છૂટવામાં સફળ થતા હતા. પણ, શનિવારે આ વાંદરાઓને પકડવામાં સફળતા મળી.

આ વાંદરાઓને પાંજરામાં કેદ કરાયા છે. અધિકારીઓએ એવું પણ જણાવ્યું છે કે એવું બની શકે છે કે કોઈ ઘટનામાં કૂતરાઓએ વાંદરાના બચ્ચા પર હુમલો કર્યો અને બદલો લેવાના હેતુથી વાંદરાઓ આ ગલુડિયાઓને નિશાન બનાવી રહ્યા હોય.

New up 01

Related posts

દિલ્હીના પાલમ એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું.

Ahmedabad Samay

લોકડાઉન ૫ માં ઘણી બધી છુટછાટ

Ahmedabad Samay

રમત-ગમતના મહાકુંભ ઓલિમ્પિકસમાં ભારતના ૧૧૭ ખેલાડીઓએ ૧૬ રમતોમાં ભાગ લીધો અને ૦૬ મેડલ મેળવ્યા

Ahmedabad Samay

સુપ્રીમ કોર્ટે નવા UGC રેગ્‍યુલેશન્‍સ પર સ્‍ટે આપ્‍યો હતો. ૨૦૧૨ ના રેગ્‍યુલેશન્‍સ આગામી આદેશો સુધી અમલમાં રહેશે

Ahmedabad Samay

બરગી જળાશયમાં સર્જાયેલી હૃદયદ્રાવક ક્રુઝ દુર્ઘટના પાછળ માનવીય ભૂલ અને પ્રશાસનિક બેદરકારી સામે આવી

Ahmedabad Samay

મોતીલાલ ઓશવાલ બ્રોકરેજ હાઉસે 9 એવા શેરોની યાદી જાહેર કરી છે જે આગામી સમયમાં રોકાણકારોને માલામાલ કરી શકે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો