August 7, 2026
ગુજરાત

પીએમ મોદી સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા-પ્રાર્થના કરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે પીએમ મોદી સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા-પ્રાર્થના કરી છે. જેઓ જામનગરમાં વનતારાની મુલાકાત લઈને સોમનાથ પહોંચ્યા હતા. જો કે, હવે જેઓ સોમનાથના દર્શન કરીને સાસણ ગીરની મુલાકાત કરી દિલ્હી પરત ફરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી આગામી 7 અને 8 માર્ચે રોજ દક્ષિણ ગુજરાતના સુરત – નવસારીની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમો માટે વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરત અને નવસારીના કાર્યક્રમ માટે રૂપિયા 14 કરોડના ખર્ચે 2 વિશેષ ડોમ તૈયાર કરાશે. સુરતના લિંબાયતમાં નિલગીરી ગ્રાઉન્ડમાં આગામી 7મી માર્ચનાં રોજ પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ દરમિયાન અન્ન સુરક્ષા સંતતિ યોજના હેઠળ શહેર અને જિલ્લાના 75 હજારથી વધુ પરિવારોને નિઃશુલ્ક રાશન વિતરણ કરવામાં આવશે. નિલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજીત થનાર વિશાળ જનસભા માટે 7 કરોડ 15 લાખના ખર્ચે વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે.

આ દરમિયાન તેઓ કેપિટલ સ્કવેરથી મહારાણા પ્રતાપ સર્કલ અને ત્યાંથી નિલગીરી સર્કલ સુધી 3 કિલોમીટરનો મેગા રોડ શો યોજાશે…જનસભા માટે 53 હજાર ચોરસ મીટર વિસ્તારની જગ્યા પર 38 હજાર ચોરસ મીટરનો ડોમ તૈયાર થશે. લાખોની મેદની પીએમને આવકારવા ઉમટી પડે શકે છે

Related posts

૩૧ ડિસેમ્બરની ન્યૂ યરની રાત્રી પાર્ટી ઉજવણી રદ્દ કરવાનો આદેશ પોલીસે આપ્યો

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીરમાં થયેલ આંતકી હુમલા વિરોધ વિરોધમાં બજરંગ દળ કર્ણાવતી મહાનગર દ્રારા રેલીનું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ ચાણક્યપુરી વિસ્તારમાં બાબા બાગેશ્વરના દરબારની તૈયારીઓ તેજ, જર્મન ટેકનલોજીનો મંડપ લગાવાશે

admin

અમદાવાદમાં હલકી ગુણવત્તાના હાટકેશ્વર બ્રિજ મામલે ફરી એક કૌભાંડ સામે આવ્યું

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગે કરી લૂંટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો