નવરાત્રિમાં એસ.જી હાઇવે અને અનેક માર્ગઓ પર ભારે વાહનો ના કારણે રાત્રીના સમયે ખૂબ ટ્રાફિક જોવા મળતો હોય છે જેને પગલે અમદાવાદ સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) એન.એન. ચૌધરીએ જણાવ્યું કે, સામાન્ય રીતે ભારે વાહનોને એસ.જી હાઇવે પર રાત્રે ૧૧ વાગ્યા સુધી પ્રવેશવા પર પ્રતિબંધ હોય છે, પરંતુ નવરાત્રિ દરમિયાન આ પ્રતિબંધ રાતના ૨ વાગ્યા સુધી લંબાવવામાં આવશે.
કર્ણાવતી ક્લબ ચાર રસ્તા અને ઝાયડસ હોસ્પિટલના ચાર રસ્તાની વચ્ચે ૫.૫ કિલોમીટરના વિસ્તારમાં નવરાત્રિ વખતે ભારે ટ્રાફિક સર્જાય છે. કર્ણાવતી ક્લબથી સરખેજ જતા રસ્તા પર ફ્લાઇઓવર નિર્માણ કામ ચાલી રહ્યું છે.
જેના કારણે રસ્તા એક ભાગ બંધ છે. આ સાથે જ બીજી બાજુ ખોદાકામ ચાલુ છે, જેથી ટ્રાફિક જામ થવાની સંભાવના વધી ગઈ છે. આ સ્થિતિ પર કાબુ મેળવવા માટે બે ડીસીપી, બે એસપી, સાત પીએસઆઇ અને ૫૦૦ પોલીસકર્મીને ટ્રાફિક નિયંત્રમ માટે આ રસ્તા પર તહેનાત કરવામાં
