February 5, 2026
ગુજરાત

કોરોનાના વધતા કહેરને રોકવા વેપારીઓ દ્વારા વારાફરતી બજારો બંધ રાખવાની વિચારણાં

ગુજરાતમાં લોકડાઉન ના મૂકાય તે માટે અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના તમામ વેપારી મહાજનો તથા તેમના સભ્યોને વારાફરતી બજારો બંધ રાખવાની વિચારણાં કરવા આહ્વવાન કર્યું છે. દરેક બજારનો વેપાર સદંતર બંધ ના થાય છતાં કોરોનાના સંક્રમણ રોકવા ભીડ થતી રોકી શકાય તેવો હેતુ પણ સિધ્ધ કરી શકાય તે માટે સરકારને સહકાર આપવા અપીલ કરી છે

અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશનના ચેરમેન જયેન્દ્ર , વાઇસ ચેરમેન અશોક પટેલ અને સેક્રેટરી હિમન પરીખે અમદાવાદના વેપારી મહાજનોને અપીલ કરતાં જણાવ્યું છે કે, હાલ સમગ્ર દેશમાં કોરાનાનો નવો રાઉન્ડ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે.

આ વખતે દરેક ઉંમરના લોકો પણ ભોગ બની રહ્યાં છે. માર્ચ 2020થી લોકડાઉન સહિતના કડક પગલાંથી કોરોનાને કંટ્રોલ તો કરી શકાયો પરંતુ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન ભોગવવુ પડયું છે. એટલે આપણા રિટેઇલ વેપારીઓને અને અસંગઠિત ક્ષેત્રના વ્યવસાયીઓ માટે અસ્તિત્વનો સવાલ થયો હતો. અચાનક એકપક્ષીય લોકડાઉનના અમલથી અભૂતપૂર્વ બેરોજગારી ફેલાઇ હતી. જેનો સામાન્ય લોકોએ જ ભોગ બનવું પડયું હતું.

માટે આપણે સમાજના વિચારશીલ અગ્રણીઓ તરીકે એવી વ્યવસ્થા સ્વૈચ્છાએ ઊભી કરવી જોઇએ. જેથી કોરોનાને રોકી પણ શકાય અને આર્થિક વ્યવસ્થા પણ સંપૂર્ણપણે ખોરવાઇ ના જાય.

Related posts

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યોજનાથી સખી મંડળની બહેનો આર્થિક પગભર બની

Ahmedabad Samay

નરેશ કનોડિયાના નિધન પર મુખ્યમંત્રી રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

Ahmedabad Samay

૦૧ એપ્રિલ પહેલા આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક નહિ કરો તો ભારે મુશ્કેલી પડશે

Ahmedabad Samay

ગાંધીનગરનું અક્ષરધામ, શાહીબાગ સ્થિત BAPS મંદિર અને શહેરના તમામ સંસ્કારધામોને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ

Ahmedabad Samay

૭૮માં સ્વતંત્રતાદિન નિમિત્તે મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ: પીએમ મોદીએ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ની શરૂઆત કરી, ગુજરાતના 21 મળી દેશભરના કુલ 508 રેલવે સ્ટેશનની થશે કાયાપલટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો