March 23, 2026
ગુજરાત

કોરોનાના વધતા કહેરને રોકવા વેપારીઓ દ્વારા વારાફરતી બજારો બંધ રાખવાની વિચારણાં

ગુજરાતમાં લોકડાઉન ના મૂકાય તે માટે અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના તમામ વેપારી મહાજનો તથા તેમના સભ્યોને વારાફરતી બજારો બંધ રાખવાની વિચારણાં કરવા આહ્વવાન કર્યું છે. દરેક બજારનો વેપાર સદંતર બંધ ના થાય છતાં કોરોનાના સંક્રમણ રોકવા ભીડ થતી રોકી શકાય તેવો હેતુ પણ સિધ્ધ કરી શકાય તે માટે સરકારને સહકાર આપવા અપીલ કરી છે

અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશનના ચેરમેન જયેન્દ્ર , વાઇસ ચેરમેન અશોક પટેલ અને સેક્રેટરી હિમન પરીખે અમદાવાદના વેપારી મહાજનોને અપીલ કરતાં જણાવ્યું છે કે, હાલ સમગ્ર દેશમાં કોરાનાનો નવો રાઉન્ડ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે.

આ વખતે દરેક ઉંમરના લોકો પણ ભોગ બની રહ્યાં છે. માર્ચ 2020થી લોકડાઉન સહિતના કડક પગલાંથી કોરોનાને કંટ્રોલ તો કરી શકાયો પરંતુ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન ભોગવવુ પડયું છે. એટલે આપણા રિટેઇલ વેપારીઓને અને અસંગઠિત ક્ષેત્રના વ્યવસાયીઓ માટે અસ્તિત્વનો સવાલ થયો હતો. અચાનક એકપક્ષીય લોકડાઉનના અમલથી અભૂતપૂર્વ બેરોજગારી ફેલાઇ હતી. જેનો સામાન્ય લોકોએ જ ભોગ બનવું પડયું હતું.

માટે આપણે સમાજના વિચારશીલ અગ્રણીઓ તરીકે એવી વ્યવસ્થા સ્વૈચ્છાએ ઊભી કરવી જોઇએ. જેથી કોરોનાને રોકી પણ શકાય અને આર્થિક વ્યવસ્થા પણ સંપૂર્ણપણે ખોરવાઇ ના જાય.

Related posts

વટવા GIDC માં ભીષણ આગ,કેમિકલ ફેક્ટરીઓમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ

Ahmedabad Samay

પત્ની વિરુદ્ધ ૧૦ અરજી કર્યા બાદ પોલીસે પતિની ફરીયાદ લીધી

Ahmedabad Samay

અમરેલી જિલ્લામાં ઘરફોડ ચોરીના 25 ગુન્હાઓમાં સંડોવાયેલ તેમજ 8 ગુન્હાઓમાં મોસ્ટ વોન્ટેડ 10 હજાર રૂપિયાના ઈનામી આરોપીને અમરેલી એલસીબી ટીમ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Ahmedabad Samay

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોર રસ્તે બાખડી પડે અને વાહનચાલકો અથવા રમતા બાળકોને અડફેટે લેતો મોત થતા હોવાના કિસ્સાઓ પણ બની ચૂક્યા છે

Ahmedabad Samay

નિરજસિંહ માનસિંહ તોમરની “બાપુ” સાથે શુભેચ્છા મુલાકાત

Ahmedabad Samay

LRD ભરતીમા ૧૨ લાખ જેટલી અરજીઓ આવી,જેમાં ૯.૪૬ લાખ અરજી કન્ફર્મ થઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો