July 15, 2026
ગુજરાત

કોરોનાના વધતા કહેરને રોકવા વેપારીઓ દ્વારા વારાફરતી બજારો બંધ રાખવાની વિચારણાં

ગુજરાતમાં લોકડાઉન ના મૂકાય તે માટે અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના તમામ વેપારી મહાજનો તથા તેમના સભ્યોને વારાફરતી બજારો બંધ રાખવાની વિચારણાં કરવા આહ્વવાન કર્યું છે. દરેક બજારનો વેપાર સદંતર બંધ ના થાય છતાં કોરોનાના સંક્રમણ રોકવા ભીડ થતી રોકી શકાય તેવો હેતુ પણ સિધ્ધ કરી શકાય તે માટે સરકારને સહકાર આપવા અપીલ કરી છે

અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશનના ચેરમેન જયેન્દ્ર , વાઇસ ચેરમેન અશોક પટેલ અને સેક્રેટરી હિમન પરીખે અમદાવાદના વેપારી મહાજનોને અપીલ કરતાં જણાવ્યું છે કે, હાલ સમગ્ર દેશમાં કોરાનાનો નવો રાઉન્ડ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે.

આ વખતે દરેક ઉંમરના લોકો પણ ભોગ બની રહ્યાં છે. માર્ચ 2020થી લોકડાઉન સહિતના કડક પગલાંથી કોરોનાને કંટ્રોલ તો કરી શકાયો પરંતુ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન ભોગવવુ પડયું છે. એટલે આપણા રિટેઇલ વેપારીઓને અને અસંગઠિત ક્ષેત્રના વ્યવસાયીઓ માટે અસ્તિત્વનો સવાલ થયો હતો. અચાનક એકપક્ષીય લોકડાઉનના અમલથી અભૂતપૂર્વ બેરોજગારી ફેલાઇ હતી. જેનો સામાન્ય લોકોએ જ ભોગ બનવું પડયું હતું.

માટે આપણે સમાજના વિચારશીલ અગ્રણીઓ તરીકે એવી વ્યવસ્થા સ્વૈચ્છાએ ઊભી કરવી જોઇએ. જેથી કોરોનાને રોકી પણ શકાય અને આર્થિક વ્યવસ્થા પણ સંપૂર્ણપણે ખોરવાઇ ના જાય.

Related posts

ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ ટોકનની સાથે સાથે સીધા આવનાર દર્દીઓને પણ દાખલ કરાશે, દાખલ પ્રક્રિયા વધુ સરળ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બની ફાયરિંગની ઘટના, લુખ્ખાતત્વો બન્યા બેફામ

Ahmedabad Samay

નરોડામાં કોરોના ગાઈડ લાઈન નું સરેઆમ ઉલ્લંઘન, સોડા સોંપ પર લોકોની ભીડ જોતા લાગે કે “ What is Corona ? ”

Ahmedabad Samay

અમદાવાદના કાલુપુર બ્રિજ પર જર્જરિત થયેલી સાત દુકાનોની છત ધરાશાયી થઈ

Ahmedabad Samay

દાણીલીમડા માં મોટું કતલખાનું ઝડપાયું, અબોલ પ્રાણીઓ નો થયો બચાવ

Ahmedabad Samay

બેંક ઓફ બરોડામાં દેખાયો સોસિયલડીસ્ટેન્સ નો અભાવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો