March 27, 2026
ગુજરાત

કોરોનાના વધતા કહેરને રોકવા વેપારીઓ દ્વારા વારાફરતી બજારો બંધ રાખવાની વિચારણાં

ગુજરાતમાં લોકડાઉન ના મૂકાય તે માટે અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના તમામ વેપારી મહાજનો તથા તેમના સભ્યોને વારાફરતી બજારો બંધ રાખવાની વિચારણાં કરવા આહ્વવાન કર્યું છે. દરેક બજારનો વેપાર સદંતર બંધ ના થાય છતાં કોરોનાના સંક્રમણ રોકવા ભીડ થતી રોકી શકાય તેવો હેતુ પણ સિધ્ધ કરી શકાય તે માટે સરકારને સહકાર આપવા અપીલ કરી છે

અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશનના ચેરમેન જયેન્દ્ર , વાઇસ ચેરમેન અશોક પટેલ અને સેક્રેટરી હિમન પરીખે અમદાવાદના વેપારી મહાજનોને અપીલ કરતાં જણાવ્યું છે કે, હાલ સમગ્ર દેશમાં કોરાનાનો નવો રાઉન્ડ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે.

આ વખતે દરેક ઉંમરના લોકો પણ ભોગ બની રહ્યાં છે. માર્ચ 2020થી લોકડાઉન સહિતના કડક પગલાંથી કોરોનાને કંટ્રોલ તો કરી શકાયો પરંતુ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન ભોગવવુ પડયું છે. એટલે આપણા રિટેઇલ વેપારીઓને અને અસંગઠિત ક્ષેત્રના વ્યવસાયીઓ માટે અસ્તિત્વનો સવાલ થયો હતો. અચાનક એકપક્ષીય લોકડાઉનના અમલથી અભૂતપૂર્વ બેરોજગારી ફેલાઇ હતી. જેનો સામાન્ય લોકોએ જ ભોગ બનવું પડયું હતું.

માટે આપણે સમાજના વિચારશીલ અગ્રણીઓ તરીકે એવી વ્યવસ્થા સ્વૈચ્છાએ ઊભી કરવી જોઇએ. જેથી કોરોનાને રોકી પણ શકાય અને આર્થિક વ્યવસ્થા પણ સંપૂર્ણપણે ખોરવાઇ ના જાય.

Related posts

ખાડિયા વિસ્તારમાં પિયર પક્ષ વડે સાસરી પક્ષ પર હત્યા કરવાનો આક્ષેપ,પાંચ માસ ના બાળક ને ન્યાય મળે એવી માંગ કરવામા આવી

Ahmedabad Samay

કોરોના વેકસીનને લઈ આવ્યા સારા સમાચાર, માર્ચ સુધી આવી શકેછે વેકસીન

Ahmedabad Samay

સી.એમ. ભૂપેન્દ્રભાઇ પટેલે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની કોબાની  હાઇસ્કુલથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો.

Ahmedabad Samay

દિવાળીએ અમદાવાદીઓએ મેટ્રોની મજા માણી, મેટ્રોની સવારી પ્રથમ પસંદગી બની

Ahmedabad Samay

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આ વર્ષના ફ્લાવર શોને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે

Ahmedabad Samay

અમદાવાદમાં વધુ ૦૮ વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો